SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિનેશ્વરદેવનું ધ્યાન ૩૮૧: ખાસ બેઠક-આસન જોઇ એ. દેવે પણ તે માટે પ્રાતિહાય ની સામગ્રીમાં સ્ફટિકનુ સુંદર પવિત્ર આસન સાથે રાખે છે અને મંદિરમાં પણ તેજ જાતની વ્યવસ્થા હેાય છે. આપણા કાયારૂપી મ ંદિરમાં દેવનું આસન બનાવવા માટે સથી શ્રેષ્ઠ સ્થાન આપણું હૃદય છે. અહી હૃદયથી લેાહીને શરીરમાં પટેલનારું અવયવ નહિ પણ હૈયું, દિલ કે અંતઃકરણ સમજવાનું છે. તે માનવદેહની અંદર આવેલાં ત્રણ મસ્થાના પૈકીનુ એક છે અને લાગણીઓના પ્રાદુર્ભાવ થવાનુ મુખ્ય સાધન છે. દેવનું આસન પવિત્ર હાવુ જોઇએ, એટલે કે તેમાં કોઈ જાતની અપવિત્રતા, અશુદ્ધિ કે મલિનતા ન હોવી જોઇએ. જો આસનમાં અપવિત્રતા, અશુદ્ધિ કે મલિનતા હાય તે ધ્રુવ ત્યાં બિરાજે નહિ, એટલે આપણે હૃદયની . અપવિત્રતા-અશુદ્ધિ–મલિનતા દૂર કરવી જ રહી. આપણા હૃદયમાં આજે કેવી કેવી લાગણીઓ ઉઠી રહી છે, તેનું નિરીક્ષણ કરા. ઘડીકમાં ક્રોધ–ગુસ્સો-રેદ્રભાવ . ભભૂકે છે, તે ઘડીકમાં માન-મદ્ર-મિથ્યાભિમાનના આવિર્ભાવ થાય છે. વળી ઘડીકમાં માયા-કપટ—-ગાની પ્રવૃત્તિ સળવળતી જણાય છે, તા ઘડીકમાં લેાભ-તૃષ્ણા-પરિગ્રહની સંજ્ઞા જોર પર આવતી જણાય છે. અને ભૂંડી ભૂતાવળ જેવી અનેક પ્રકારની લાલસા-વાસનાના ત્યાં હરદમ આવિર્ભાવ થાય છે. આ રીતે કષાય અને વિષય અનેને ત્યાં . મેાળુ મેદ્યાન મળેલુ હાવાથી આપણું સમસ્ત હૃદય .
SR No.032711
Book TitleLogassa Mahasutra Yane Jain Dharmno Bhaktiwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1979
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy