SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય જ્યારે સદ્ગુણને પ્રવાહ બળવાન હોય, ત્યારે મનુષ્ય શુભાચરણ કરે છે; દુષ્ટ વૃત્તિના પ્રવાહ બળવાન હાય, ત્યારે તે પાપાચરણ કરે છે અને આન ંદના પ્રવાહ ચાલુ થાય, ત્યારે તેના મનને પરમશાન્તિ સુખ પ્રાપ્ત થાય છે. દુષ્ટ વૃત્તિઓને નિર્મૂળ કરવાના એક જ ઉપાય એ છે કે, તેનાથી ઊલટી ટેવ પાડવા માંડવી. જો એ દુષ્ટ વેએ આપણા મનમાં ઊંડાં મૂળ ઘાલેલાં હાય, તેા નવેસરથી સારી ટેવા પાડવાથી તેના નાશ થઈ શકે એમ છે. તમે હુમેશાં સારા કાર્ય કર્યું જા, શુભ વિચાર કર્યો. જાએ-ખરાબ ટેવાને કાઢી નાખવાના એ એક જ અમેાઘ ઉપાય છે. અમુક માણસ કદી પણ સુધરવાના નથી, એવે ઉદ્ગાર તમે કાઢતા જ નહિ; કારણ કે અત્યારે તેના દુષ્ટ સ્વભાવ છે તે પાછલી દેવાનું પરિણામ છે અને તેને નવી સારી ટેવેા કેળવ્યાથી સુધારી શકાય એમ છે. ચારિત્ર્ય એ લાંબા વખતની ટેવાનુ પરિણામ છે અને એ જ પ્રમાણે નવી સારી ટેવાને અમુક વખત સુધી ધારણ કરવાથી ચારિત્ર્ય બદલાઈ ને સુધરી જાય છે. એ તમામ પ્રકારના સૌંસ્કારને સમૂહ આપણા મનમાં રહે છે. તેએ ક્રમે ક્રમે સૂક્ષ્મ અને તેથીયે વધારે સૂક્ષ્મ બનતા જાય છે ખરા, પણ નિમૂળ તે નથી જ થતા. કાઈ ઉત્તેજક કારણ મળી આવતાં પાછા તે જાગૃત થઈ જાય છે અને તેમને વિકાસ થવા લાગે છે, એમ થતાં, થતાં પરિણામે તેએ સ્વભાવનું પ્રગટ સ્વરૂપ ધારણ કરે છે. અણુઓનું કંપન કઢી વિરામ પામતું નથી. ચિત્તની અંદર ચાલી રહેલાં આંદોલને અદૃશ્ય ભલે થઈ જાય, પણ પરમાણુઓના આંદોલનની જેમ ૫૬
SR No.032710
Book TitleMantra Vigyan Ane Sadhna Rahasya
Original Sutra AuthorN/A
AuthorVishvashanti Chahak
PublisherVishva Abhyuday Adhyatmik Granthmala
Publication Year1983
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy