SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય મંત્રનો સમાવેશ થાય છે. અપૂર્વ ઓંકાર મંત્રનું જે ગીઓ ધ્યાન, મરણ, ચિંતન કરે છે તેઓ મનરૂપ મર્કટને વશ કરી પરમ શાન્તિને પ્રાપ્ત કરે છે. કાર વાચ્ય સ્વરૂપાર્થને દયેય રૂપે સ્વીકારીને તેમાં ચિતને એકાગ્ર કરવાથી વિકલ્પ-સંકલ્પોને નાશ થાય છે; કારનું મરણ, ચિંતન, ધ્યાન કરવાથી રજોગુણ અને તમોગુણનો નાશ થાય છે અને સત્ત્વગુણુ યથાશક્તિ પ્રયત્નથી વિકસે છે, તે વખતે મનમાં આનંદની ઝાંખીને અપૂર્વ સમતારસ અનુભવાય છે. વાચા ઉપર કારનું ઘણું કાળ સુધી ધ્યાન કરવાથી વચનની સિદ્ધિ પ્રાપ્ત થાય છે, કાર જેવી જગતમાં અમૂલ્ય વસ્તુ કઈ જણાતી નથી. વિશેષ શું ? કારનું પરિપૂર્ણ સ્વરૂપ સમજાય છે ત્યારે સાધકને અપૂર્વ ખૂબીઓ હસ્તગત થાય છે. ૩ (“પ્રણવ” અક્ષર)માં બ્રહ્મ (પરમાત્મ) સ્વરૂપ શ્રદ્ધવું. ને પ્રણવ રૂપ બ્રહ્મ હું જ છું એ રીતે ક્ષણ માત્ર અંતર રહિત પિતાની મતિને સ્થિર કરવી, એ પ્રણવની ઉપાસના” અથવા “ભક્તિ” અથવા “ધ્યાન.” એ ઉપાસના બે પ્રકારે થઈ શકે છે, પરમાત્માને સાકાર કલ્પીને તેમાં મતિ સ્થિર કરવાથી અથવા પરમાત્માને નિરાકાર કલ્પીને તેમાં મતિ સ્થિર કરવાથી સાકાર પરમાત્મા રૂપથી પ્રણવનું ચિંતન કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય અને નિરાકાર પરમાત્માના રૂપથી પ્રણવનું ચિંતન કરે તે મેક્ષની પ્રાપ્તિ થાય. માટે, કારનું પરમાત્મ રૂપથી ચિંતન કરવું, વળી, બ્રહ્મરૂપ કારનું આત્માથી પણ અભેદ ચિંતવન કરવું. આત્મા નોંધ ૧. સાકાર પરમાત્મા અરિહંત, નિરાકાર પરમાત્મા સિદ્ધ પ્રભુ.
SR No.032710
Book TitleMantra Vigyan Ane Sadhna Rahasya
Original Sutra AuthorN/A
AuthorVishvashanti Chahak
PublisherVishva Abhyuday Adhyatmik Granthmala
Publication Year1983
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy