SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭ર મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય બુદ્ધિશાળી અને વિચક્ષણ હતું. તે એક વખત જંગલમાં રમવા ગયેલ ત્યાં તેને જૈનમુનિને સમાગમ થયે. મુનિ મહારાજે તેને પુણ્યશાળી તથા બુદ્ધિમાન જાણું નમસ્કારમહામંત્ર શીખડાવ્યો અને કહ્યું કે, “હંમેશા આ મંત્રને તારે જાપ કરે. પરંતુ કઈ મહાસંકટ કે વિપત્તિ આવે ત્યારે સવિશેષ તેને જાપ કરે જેથી તે વિપત્તિને નાશ થઈ જશે.” તે બાળક દરરોજ નમસ્કાર મહામંત્રનો જાપ કરતો હતો. સેમશર્મા બ્રાહ્મણની સ્થિતિ ઘણી જ ખરાબ હતી. કેઈ દિવસ ભેજન પણ તે લોકોને મળતું નહિ. છ માણસે ખાવાવાળા હતા, અને માંગીને જે મળે તેમાં સંતોષ માનવાને હતું. તેની પરિસ્થિતિ ઘણી જ ખરાબ હતી. અને તેની સ્ત્રી કઠેર સ્વભાવની હતી. તેના દિલમાં કરુણ હતી જ નહિ, માત્ર સુખભેગની લાલસા જ તીવ્ર હતી. પરંતુ પૂર્વના પાપોદયે પરિસ્થિતિ ખરાબ હોવાથી તેની સુખલાલસા પિષાતી ન હતી. એ જ અવસરે રાજાએ ઉદ્દેાષણ કરાવી તે ઉદ્દઘોષણા શ્રવણ કરવાથી તૃષ્ણાવતીની તૃષ્ણા સતેજ બની અને તે પિતાના પતિને કહેવા લાગી કે, “આપણે ચાર પુત્ર છે. તેમાં નાને પુત્ર ઘણે બુદ્ધિમાન છે, તેને રાજાને સંપ અને સવા લાખ સેનૈયા લાવે, જેથી આપણું દરિદ્રપણું દૂર થાય અને આપણે સુખી બનીએ.” બ્રાહ્મણ પિતાની પત્નીની વાત સાંભળીને વિમાસણમાં પડે. “અરે! આ સ્ત્રી કેટલી નિર્દય છે કે પિતાના સુખભેગ માટે પિતાના પુત્રને ભેગ આપવા તૈયાર થઈ છે!”
SR No.032710
Book TitleMantra Vigyan Ane Sadhna Rahasya
Original Sutra AuthorN/A
AuthorVishvashanti Chahak
PublisherVishva Abhyuday Adhyatmik Granthmala
Publication Year1983
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy