SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ રશિયામાંથી ઝારશાહીને અંત ૧૦૨૭ ઉપર લાદવામાં આવે એવું તેઓ નહેતા ઈચ્છતા; એમાં રહેલા જોખમથી તેઓ ડરતા હતા. પણ તેમણે કરવું શું ? સોવિયેટના પ્રતિનિધિમંડળે સત્તા હાથમાં લેવાને તેમને આગ્રહ કર્યો અને તેને ના પાડતાં પણ તેઓ બીતા હતા. આથી ભારે નારાજીપૂર્વક અને પરિણુમના ડરથી ડૂમાની એક કમિટીએ સત્તાને સ્વીકાર કર્યો. અને બહારની દુનિયાને લાગ્યું કે ડૂમા કાંતિને દોરી રહી છે. એ કેવો વિચિત્ર પ્રકારને શંભુમેળ હતો? વાર્તામાં આપણે એ વિષે વાંચીએ તે એવું બની શકે એમ આપણે ભાગ્યે જ માની શકીએ. પરંતુ કલ્પનાસૃષ્ટિ કરતાં વાસ્તવિક દુનિયા હમેશ વધારે વિચિત્ર હોય છે. ડૂમાની કમિટીએ નમેલી કામચલાઉ સરકાર અતિશય સ્થિતિચુસ્ત હતી અને તેને વડા પ્રધાન રાજવંશી હતે. એ જ મકાનની બીજી બાજુમાં સોવિયેટની બેઠક ચાલતી હતી અને તે કામચલાઉ સરકારના કાર્યમાં નિરંતર દખલ કર્યા કરતી. પરંતુ આરંભમાં તે ખુદ સોવિયેટનું વલણ પણ મેળું હતું. અને બેલ્સેવિકે તે તેમાં માત્ર મૂઠીભર હતા. આમ ત્યાં આગળ એક રીતે બે સરકાર હતી – કામચલાઉ સરકાર અને સેવિયેટ. એ બંનેની પાછળ ક્રાંતિ પાર પાડનાર ક્રાંતિકારી મજૂરે હતા. અને તેઓ તેમની પાસે ભારે વસ્તુઓની આશા રાખી રહ્યા હતા. જર્મનીને સંપૂર્ણ પરાજય થતાં સુધી તેમણે લડાઈ ચાલુ રાખવી જોઈએ –ભૂખમરે વેઠતા અને લડાઈથી થાકી ગયેલા મજૂરોને નવી સરકારે બસ આટલી એક માત્ર દેરવણી આપી. તેઓ વિમાસણમાં પડી ગયા અને વિચારવા લાગ્યા કે શું આટલા ખાતર અમે ક્રાંતિ કરી અને ઝારને હાંકી કાઢ્યો ? આ ટાંકણે એપ્રિલની ૧૭મી તારીખે લેનિન ત્યાં આવીને ઊભે. યુદ્ધ દરમ્યાન આખો વખત તે સ્વિટ્ઝરલેંડમાં હતા. અને ક્રાંતિની વાત જાણી કે તરત જ તે રશિયા પહોંચવા તલપાપડ થઈ ગયું હતું. પણ રશિયા પહોંચવું કેવી રીતે? અંગ્રેજો અને એ પોતાના મુલકમાંથી તેને જવા દે એમ નહોતું તેમ જ જર્મને અને ઍનિ પણ તેને જવા દે એમ નહોતું. આખરે, કંઈક કારણસર જર્મન સરકાર એક સીલબંધ ગાડીમાં તેને સ્વિટ્ઝરલેંડની સરહદથી રશિયાની સરહદ સુધી પસાર થવા દેવાને સંમત થઈ. તેને એવી આશા હતી, અને અલબત તેની એ આશા સકારણ હતી કે, રશિયામાં લેનિનના આગમનથી કામચલાઉ સરકાર તથા યુદ્ધની તરફેણને પક્ષ નબળાં પડશે, કેમ કે લેનિન યુદ્ધની વિરુદ્ધ હતે. જર્મન સરકાર આ રીતે એમાંથી લાભ મેળવવાની આશા રાખતી હતી. તેને કલ્પના નહતી કે આ લગભગ અજ્ઞાત ક્રાંતિકારી એક દિવસ યુરેપને અને આખી દુનિયાને હચમચાવી મૂકવાને છે. લેનિનના મનમાં લેશ પણ સંશય કે અસ્પષ્ટતા નહોતાં. તેની તીક્ષ્ણ દૃષ્ટિ જનતાનું માનસ પામી જતી હતી, તેની વિશુદ્ધ બુદ્ધિ સારી રીતે વિચારી
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy