SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ડાવિન અને વિજ્ઞાનનો વિજય ૮૧૧ તથા તેના સૂક્ષ્માતિસૂક્ષ્મ અંગોને માપવાની હામ ભીડી. તેણે માણસની કડાકુટ ઓછી કરી નાખી તથા કરડે લેકોનાં જીવન હળવાં ક્ય. વિજ્ઞાનને કારણે આખી દુનિયાની અને ખાસ કરીને ઔદ્યોગિક દેશની વસતીમાં જબરદસ્ત વધારે થયે, પરંતુ સાથે સાથે વિજ્ઞાને સંહારનાં બહુ જ અસરકારક સાધન પણ ઉત્પન્ન કર્યા. પણ એમાં વિજ્ઞાનને દોષ નહોતું. એણે તે કુદરત ઉપરને મનુષ્યને કાબૂ વધાર્યો. એ બધી શક્તિ માણસે મેળવી તે ખરી પણ પિતાની જાત ઉપર કાબૂ રાખતાં તેને ન આવડવું. એથી તે વારંવાર અઘટિત રીતે વર્તવા લાગે અને એ રીતે વિજ્ઞાનની ભેટને તેણે વેડફી નાખી. પરંતુ વિજ્ઞાનની વિજયકુચ તે આગળ ને આગળ ચાલતી જ રહી અને દેઢ વરસની અંદર તેણે દુનિયાની એટલી કાયાપલટ કરી નાખી જેટલી તે પહેલાંના હજારે વરસો દરમ્યાન પણ નહોતી થઈ સાચે જ, વિજ્ઞાને દુનિયાના જીવનની દરેક દિશામાં તથા તેના દરેક ક્ષેત્રમાં ક્રાંતિ કરી નાખી. વિજ્ઞાનની આ કૂચ હજી આજે પણ ચાલુ જ છે અને તેની ગતિ પહેલાંના કરતાં ઘણી વધી ગઈ હોય એમ જણાય છે. એને માટે આરામ છે જ નહિ. આજે રેલવે બાંધવામાં આવે છે. પરંતુ તે ચાલુ થવાની સ્થિતિમાં આવે ત્યાં તે તે જૂની થઈ ગયેલી હોય છે. એક યંત્ર ખરીદીને તેને ગોઠવવામાં આવે પરંતુ એક કે બે વરસની અંદર એ જ જાતનાં એનાથી વધારે સારું કામ આપનારાં યંત્ર બનાવવામાં આવે છે. આમ આ પાગલ હરીફાઈ આગળ ને આગળ ચાલતી જ રહે છે. અને હવે આજે આપણે સમયમાં વીજળી વરાળનું સ્થાન લઈ રહી છે. આ રીતે વીજળી દેઢ વરસ પૂર્વેની ઔદ્યોગિક ક્રાંતિ જેવી મહાન ક્રાંતિ કરી રહી છે વિજ્ઞાનની શાખા ઉપશાખાઓમાં સંખ્યાબંધ વૈજ્ઞાનિક તથા નિષ્ણાત અવિરતપણે કાર્ય કરી રહ્યા છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું નામ એમાં સૌથી મહાન છે. ન્યૂટનના મશહૂર સિદ્ધાંતમાં અમુક અંશે સુધારે કરવામાં તે સફળ થયે છે. આજકાલ વિજ્ઞાનમાં એટલી ભારે પ્રગતિ થઈ છે તથા વૈજ્ઞાનિક સિદ્ધાંતમાં એટલા બધા ઉમેરા અને ફેરફાર થયા છે કે ખુદ વૈજ્ઞાનિકે પણ એનાથી ડઘાઈ ગયા છે. તેઓ પહેલાંના તેમના આત્મસમાધાનને અને નિશ્ચિતતાને ગર્વ સર્વથા ઈ બેઠા છે. હવે તેઓ પિતાના નિર્ણની બાબતમાં ઢચુપચુ બન્યા છે અને ભવિષ્ય વિષેની આગાહી કરતાં અચકાય છે. પરંતુ આ પરિસ્થિતિ ૨૦મી સદીમાં અને આપણું કાળમાં પેદા થઈ છે. ૧૯મી સદીમાં તે વિજ્ઞાનની બાબતમાં વાતાવરણ આત્મવિશ્વાસથી ભરેલું હતું. પિતાની અસંખ્ય સફળતાઓથી ગર્વિષ્ઠ બનીને વિજ્ઞાને લેકે ઉપર પિતાની આણ વર્તાવી અને લેકે પણ દેવની આગળ નમે છે તેમ તેની આગળ નમી પડ્યા.
SR No.032709
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 02
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy