SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ a જગતના ઇતિહાસનું રેખાદર્શન મામાં ખુલ્લા થવાથી હિંદની દરિયાઈ નબળાઈ ઉઘાડી પડી. દક્ષિણનાં રાજ્યે ક્ષીણ થઈ ગયાં હતાં અને તેમનું ધ્યાન દેશના અંદરના ભાગમાંથી આવતાં જોખમો તરફ દોરાયું હતું. ગુજરાતના સુલતાને તે ફિરંગી સામે દરિયા ઉપર પણ લડ્યા. ઉસ્માની તુř સાથે સંપ કરીને ફ્િરગીઓના નૌકા કાફલાને તેમણે હરાવ્યો. પણ પાછળથી ફિરંગીઓ જીત્યા અને તેમણે દરિયા ઉપર કાબૂ મેળબ્યો. દિલ્હીના મોગલ બાદશાહોના ડરને કારણે ગુજરાતના સુલતાનોને ફિરંગીઓ સાથે સુલેહ કરવી પડી. પરંતુ ફિરંગીઓએ તેમને દગો દીધો. ઐાદમી સદીના આરંભમાં દક્ષિણ હિંદમાં બે મેટાં રાજ્યે ઊભાં થયાં. એક ગુલબર્ગ અથવા જેને બ્રાહ્મણી રાજ્ય કહેવામાં આવે છે તે અને ખીજું એની દક્ષિણે આવેલું વિજયનગરનું રાજ્ય. બ્રાહ્મણી રાજ્ય લગભગ આખા મહારાષ્ટ્ર અને કર્ણાટકના થોડા ભાગ પર વિસ્ત હતું. એ રાજ્ય લગભગ દેસા વરસ ટક્યું પણ એની કારકિર્દી અધમ પ્રકારની છે. ત્યાં આગળ અસહિષ્ણુતા, જુલમ અને ખુનામી પ્રવતાં હતાં તથા એક બાજુ સુલતાન અને ઉમરાવે! વૈભવિલાસમાં મશગૂલ હતા અને બીજી બાજુ પ્રશ્ન અતિશય ગરીક્ષાઈમાં ડૂબી ગઈ હતી. કેવળ તેની મૂર્ખાઇ ને કારણે બ્રાહ્મણી રાજ્ય ૧૬મી સદીમાં પડી ભાગ્યું અને તેના બિજાપુર, અહમદનગર, ગેાલકાંડા, ખીડર અને વરાડ એમ પાંચ ભાગ પડી ગયા. આ દરેક ભાગ ઉપર સુલતાને ના અમલ હતો. દરમ્યાન વિજયનગરનું રાજ્ય લ ગ ૨૦૦ વરસ સુધી ટયું. હજી પણ તે આબાદ હતું. આ યે રાજ્યા. વચ્ચે વારંવાર યુદ્ધો થયા કરતાં; કેમકે દરેક રાજ્ય દક્ષિણ હિંદુ ઉપર આધિપત્ય જમાવવા મથતું હતું. આ બધાં રાજ્યા અંદર અંદર એકબીજા સાથે જુદી જુદી રીતે એકત્રિત થતાં પરંતુ તેમની આ એકતા થા મૈત્રી હંમેશાં બદલાતી રહેતી. પરંતુ ક્રાઈક વખત મુસલમાની રાજ્ય હિંદુ રાજ્ય સામે લડવું તે વળી કેટલીક વાર મુસ્લિમ અને હિંદુ રાજ્ય એકત્ર થઈ ને કાઈ ત્રીજા મુસલમાની રાજ્ય સામે લડતાં. આ યુદ્દો કેવળ રાજકીય યુદ્દો હતાં. કાઈ પણ સમયે એકાદ રાજ્ય વધારે પડતું બળવાન થઈ જતું જણાય તો તેની સામે બીજા બધાં એકત્ર થઈ જતાં. ખરે વિજયનગરનાં બળ અને સમૃદ્ધિએ બીજા મુસલમાની રાજ્યેતે તેની સામે એકત્ર થવાને પ્રેર્યાં અને ૧૫૬૫ની સાલમાં તાલીકાટાની લડાઈમાં તે તેને સ ંપૂર્ણ પણે નાશ કરવામાં સફળ થયાં. અદા સદીની કારકી
SR No.032708
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy