SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૪ છે. અને ગરૂડ સાથે સર્પ યુદ્ધ કરવા ઈચ્છે તેમ અનાત્મજ્ઞ એવો તું અમારા ઈદ્રની સાથે યુદ્ધ કરવાને ઈચ્છતો હતો, પણ તારે ભૂંડે હાલે નાશી જવું પડયું.” આ પ્રમાણે કહીને દેવતાઓ તેને હસવા લાગ્યા. જે મહા દેહ ધરીને તે આવ્યા હતા, તે જ લઘુ દેહી થઈને પવને ચલાવેલા મેઘની જેમ ત્વરાથી નાસવા લાગ્યા. રૂપને નાનું કરતા તે અસુરની પછવાડે ઘની જેમ ચાલ્યું આવતું વજ જવાળાની શ્રેણિવડે શેભવા લાગ્યું. અહીં વજ છોડયા પછી ઈકને વિચાર થયો કે, કોઈ પણ અસુરની પિતાની અહીં સુધી આવવાની શક્તિ નથી, તે છતાં આ અસુર અહીં સુધી આવે તેથી હું ધારું છું કે જરૂર તે કઈ અર્હત, અહંતનું રૌત્ય કે કઈ મહર્ષિને મનમાં સ્મરી તેના વડે શકિત પ્રાપ્ત કરીને આવ્યો હશે.” આ પ્રમાણે વિચારીને શદ્ર અવધિજ્ઞાનવડે જોયું, એટલે તે શ્રી વીરપ્રભુના પ્રભાવથી ત્યાં આવ્યું હતું અને પાછો શ્રી વીરપ્રભુને શરણેજ ગમે છે એમ જાણ્યું. તેથી “અરે ! હું માર્યો ગયે !” એમ બોલતે ઈદ્ર જેના હાર વિગેરે આભૂષણે તુટી જતા હતા, તેમ વજને માગે તેની પાછળ વેગથી દેડ. ચમરેંદ્રનો નિવાસ તેમજ પ્રભુનું વિહારસ્થાન અધભૂમિએ હોવાથી આગળ ચમરે, તેની પછવાડે વજ અને તેની પાછળ શક્રઈદ્ર પૂર્ણ વેગથી ચાલ્યા. ક્ષણવારમાં પ્રતિકાર કરનારની પાછળ હાથીની જેમ શકેંદ્ર તેમની નજીક આવી પુ; જેવામાં જ ચમરેંદ્રની નજીક આવી પડ્યું, તેવામાં તે તે ચમરેંદ્ર દાવાનળથી પીડિત હાથી જેમ નદી પાસે આવી પહોંચે તેમ પ્રતિમા ધરીને રહેલા પ્રભુની પાસે પહોંચી ગયે. અને “શરણ ! શરણ !” એમ બોલતો અત્યંત લઘુ શરીર કરીને પ્રભુને બે ચરણની વચ્ચે કુંથુની જેમ ભરાઈ ગયો. તે વખતે વજ પ્રભુના ચરણકમળથી ચાર તસુ છેટું રહ્યું હતું, એટલામાં તે સપને વાદી પકડે તેમ ઈ વજને મુષ્ટિથી પકડી લીધું. પછી પ્રભુને પ્રદક્ષિણ પૂર્વક વંદના કરીને ઈદ્ર અંજલિ જોડી ભક્તિથી ભરપૂર એવી વાણીવડે આ પ્રમાણે છે - “હે નાથ ! આ ચમરેંદ્ર ઉદ્ધત થઈને મને ઉપદ્રવ કરવા માટે તમારા ચરણકમળના પ્રભાવથી મારા દેવલોક સુધી આવ્યો હતો. તે મારા જાણવામાં આવ્યું નહતું, તેથી અજ્ઞાનવડે મેં આ જ તેના પર મૂકયું હતું. ત્યારપછી અવધિજ્ઞાનવડે તેને તમારા ચરણકમળમાં લીન થયેલ મેં જાય છે, માટે મારા તે અપરાધને ક્ષમા કરજે.” આ પ્રમાણે કહીને શકે ઈશાનકુણમાં જઈ પિતાને રોષ ઉતારવાને પિતાને વામચરણ પૃથ્વી પર ત્રણવાર પછાડયો. પછી ચમરેંદ્રને કહ્યું કે –“હે ચમર ! તું વિશ્વને અભય આપનાર શ્રી વીરપ્રભુને શરણે આવ્યો તે તે બહુ સારું કર્યું. કારણ કે તે સર્વ ગુરૂઓના પણ ગુરૂ છે. હવે મેં વર તજી દઈને તને છોડી દીધું છે, માટે તું ખુશીથી પાછો ચમચંચા નગરીમાં જઈને તારી સમૃદ્ધિના સુખનો ભોકતા થા.” આવી રીતે ચમરને આશ્વાસન આપી ફરીવાર પ્રભુને નમસ્કાર કરીને ઈદ્ર પોતાને સ્થાનકે ગયા. પછી સૂર્યાસ્ત થતાં ગુહામાંથી જેમ ઘુવડ નીકળે તેમ ચમરેંદ્ર પ્રભુના બે ચરણના અંતરમાંથી બહાર નીકળ્યો અને પ્રભુને નમી અંજલિ જેડીને બોલ્યો કે “સર્વ છાના જીવન ઔષધરૂપ હે પ્રભુ ! તમે મને જીવિતના આપનાર છે. તમારા ચરણને શરણે આવતાં અનેક દુઃખના સ્થાનરૂપ આ સંસારથી પણ મુક્ત થવાય છે, તે વજથી મુક્ત થવું તે તે કે માત્ર છે ? હે નાથ ! મેં અજ્ઞતાથી પૂર્વભવમાં બાળતપ કર્યું હતું, તેથી તેનું આ અજ્ઞાન સહિત અસુરેંદ્રપણુરૂપ ફળ મને પ્રાપ્ત થયું છે. મેં અજ્ઞાનથી આ સર્વ પ્રયત્ન મારા આત્માને અનર્થકારી જ કર્યો હતો, પણ છેવટે તમારે શરણે આવ્યો તે સારું કર્યું. જે પૂર્વભવે મેં તમારું શરણ લીધું હોત તે હું અય્યતે'દ્રપણું કે અહમિંદ્રપાળું પ્રાપ્ત કરત, અથવા હે નાથ ! મારે ઈન્દ્રપણાની હવે શી જરૂર છે? કેમકે હમણાં તો ત્રણ જગતના
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy