SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭ મું ૨૫ પતને કાણુ મારવા ઇચ્છે છે ? કહા, તમે કેમ આતુર થઇ ગયાં છે ?” આ પ્રમાણે પૂછવાથી તેણે અન શબ્દની વ્યાખ્યાનુ વૃત્તાંત, પુત્રનુ પણ અને તેમાં તમારૂ પ્રમાણિકપણુંએ સર્વ વાતા જણાવી પછી પ્રાર્થના કરી કે “હે વત્સ ! તારા ભાઇ પર્વતની રક્ષા કરવાને માટે તું ‘’ શબ્દને અર્થ‘મેઢા' એવે કર; કારણ કે માતા પુરૂષો પ્રાથી પણ બીજાને ઉપકાર કરે છે, તે વચનથી કેમ ન કરે ?” તે સાંભળી વસુરાજા ખેલ્યા-માતા ! હું મિથ્યા વચન શા માટે એવુ ? કારણકે સત્યવાદી પુરૂષો પ્રાણના નારા થાય તે પણ અસત્ય બોલતા નથી, પાપથી ભય પામનાર પુરૂષે બીજું પણુ અસત્ય બેલવું નહિ, તે આ ગુરૂની વાણીને અન્યથા કરવાવાળી ફ્રૂટ સાક્ષી આપવી, તેની તેા શી વાત કરવી !’ માતાએ કહ્યુ-‘કાં તેા ગુરૂના પુત્રનું માન રાખી તેને બચાવ અથવા સત્યવ્રતનેા આગ્રહ રાખી ગમે તે કર.’ આવાં તેનાં સરોષ વચન સાંભળીને વસુએ ગુરૂપુત્રનું માન રાખવાનું કબુલ કર્યું", એટલે ક્ષીરકદંબ ગુરૂની પત્ની હર્ષ પામીને પાતાને ઘેર આવી પછી હું અને પત વસુરાજાની પદામાં ગયા. વસુરાજાની સભામાં મધ્યસ્થ ગુણવડે શેાભનારા સભ્યજને અને સત્ અસત્ વાદરૂપ ક્ષીર અને નીરને ભેદ કરવામાં હ ંસ જેવા વાદીએ એકઠા મળેલા હતા. વસુ રાજા ગગનમાં ચદ્રની જેમ પેલી આકાશ જેવી સ્ફાટિક શિલાની વેદીપર રહેલા સિહાસનપર સભાપતિ થઇને બેઠા હતા. તેમને મે` અને પતે અન્ન શબ્દની વ્યાખ્યાના જે પાતપેાતાના પક્ષ હતા તે કહી સંભળાવ્યા, અને કહ્યું કે-હે સત્યવાદી ! આમાં જે સત્ય હોય તે કહેા.’ તે વખતે બીજા વૃદ્ધ વિએ રાજાને કહ્યું કે—“હે રાજા! આ વિવાદ તા તમારી ઉપર જ છે. ભૂમિ અને આકાશમાં સૂતાં જેમ આ બંને વચ્ચે તમે પ્રમાણિક સાક્ષી છેા. ઘટ વિગેરે જે દશ દિવ્ય૧ છે તે સત્યથી રહેલા છે, સત્યથી મેઘ વર્ષે છે અને સત્યથી દેવતા સિદ્ધ થાય છે. હે રાજા ! તમારાથી જ આ સ લેાક સત્યમાં રહેલા છે, તેથી આ વિષે તમને શું કહીએ ? જે તમારા સત્ય વ્રતને ચેાગ્ય હાય તે કહે.” આવાં વચન સાંભળ્યાં છતાં પણ પેાતાની સત્યપણાની પ્રસિદ્ધિને છેડી દઇને વસુરાજાએ કહ્યું-ગુરુએ જ્ઞ શબ્દના અમે ઢા કહ્યો છે.’ આવાં વસુરાજાનાં અસત્ય વચનથી ક્રોધ પામીને ત્યાં રહેલા દેવતા આ એ આકાશ જેવા સ્ફાટિકની આસનવેદિકા ચૂર્ણ કરી નાંખી. તત્કાળ વસુરાજા જાણે નરકપાતનું પ્રસ્થાનુ કરતા હોય તેમ પૃથ્વીપર પડી ગયા. અસત્ય વચન ખેલવાથી કાપ પામેલા દેવતાઆએ પાડીને મારી નાંખેલા વસુરાજા મરણ પામીને ઘેર નરકમાં ગયા. વસુના પુત્ર પૃવસુ, ચિત્રવસુ, વાસવ, શુક્ર, વિભાવસ, વિશ્વાવસુ, સૂર અને મહાસુર-તે આઠે અનુક્રમે પિતાની રાજગાદી ઉપર બેઠા; પણ દેવતાઓએ કાપથી તત્કાળ તેઓને પણ મારી નાંખ્યા. તેથી નવમા વસુ નામે પુત્ર ત્યાંથી ના સીને નાગપુર ગયે, અને દશમેા વૃધ્વજ નામનો પુત્ર મથુરાપુરીએ ગયા. પછી પુરજનોએ હાસ્ય કરી પતને નગરીની બહાર કાઢી મૂકો, તેને મહાકાળ નામના અસુરે ગ્રહણ કર્યો. રાવણે પૂછ્યું- એ મહાકાળ અસુર કાણુ હતા ?' એટલે નારદ તેની કથા કહેવા લાગ્યા—અહીં ચારણયુગલ નામે એક નગર છે. ત્યાં અયોધન નામે એક રાજા થયા, તેને દ્વિતિ નામે પ્રિયા હતી. તેને સુલસા નામે એક રૂપવતી દુહિતા થઈ હતી. અાધન રાજાએ ૧. જળ, અગ્નિ, ઘા, કાશ, વિષ, માયા, ચેાખા, ફળ,ધર્મ અને પુત્રને સ્પર્શી કરવા, આ દ્દશ દિવ્ય કહેવાય છે. *
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy