SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૨ જો દર્શનરૂપ અમૃતની ધારાથી જેનું શરીર વ્યાપ્ત થયું છે એવા તે હસ્તીને ખીજ માંથી જેમ અંકુર ઉત્પન્ન થાય તેમ સ્નેહ ઉત્પન્ન થયા, તેથી તેણે પાતાની શુઢથી તેને સુખ થાય તેવી રીતે આલિંગન કરી તેની ઇચ્છા નહીં છતાં પણ પેાતાના સ્કંધ ઉપર બેસાડવો. પરસ્પર દનના અભ્યાસથી તે બંને મિત્રાને થાડા વખત અગાઉ કરેલા કાની જેમ પૂ જન્મનું સ્મરણ થયું. તે વખતે ચાર દાંતવાળા હસ્તીના સ્કંધ ઉપર બેઠેલા સાગરચંદ્રને વિસ્મયથી ઉત્તાન લાચનવાળા બીજા યુગલીઆએ ઇંદ્રની જેમ જોવા લાગ્યા. શંખ, ડોલર પુષ્પ અને ચંદ્ર જેવા વિમલ હાથી ઉપર તે બેઠા હતા, તેથી યુગલીઆએ તેને વિમલવાહન એવા નામથી ખેલાવવા લાગ્યા. જાતિસ્મરણુવડે સર્વ પ્રકારની નીતિને જાણનારા, વિમલ હસ્તીના વાહનવાળા અને પ્રકૃતિથી સ્વરૂપવાન્-તે સથી અધિક થયા. કેટલેાએક કાળ વ્યતીત થયા પછી ચારિત્રભ્રષ્ટ યતિઓની પેઠે કલ્પવૃક્ષાના પ્રભાવ મદ થવા લાગ્યા. જાણે દુવે રવીને બીજાં આણ્યાં હોય તેમ મદ્યાંગ કલ્પવૃક્ષેા થાડું અને વિરસ મદ્ય વિલંબે આપવા લાગ્યા. ભુતાંગ કલ્પવૃક્ષ જાણે આપીએ કે નહી', એમ વિચાર કરતાં હાય અને પરવશ થયા હોય તેમ યાચના કરતાં પણ વિલ`એ પાત્રા આપવા લાગ્યા. તુર્યાગ વૃક્ષ જાણે વેઠથી તિરસ્કાર કરી લાવેલા ગંધર્વા હોય તેમ જોઈએ તેવુ સંગીત રચતા નહાતા. વારંવાર પ્રાર્થના કરેલ દીપશિખા અને જ્યાતિષ્ક કલ્પવૃક્ષ જેમ દિવસે દીવાની શિખા પ્રકાશ ન કરે તેમ તાદશ પ્રકાશકતા નહાતા ચિત્રાગવૃક્ષો પણ વિનયી સેવકની જેમ ઇચ્છાનુસાર તત્કાળ પુષ્પમાળાઓ આપતા નહાતા. ચિત્રરસ વૃક્ષેા દાનની ઇચ્છા ક્ષીણ થયેલા સુત્રીની જેમ ચાર પ્રકારનું-વિચિત્ર રસવાળું ભોજન અગાઉ પ્રમાણે આપતા નહાતા. મણ્યગ વૃક્ષેા જાણે ફરીથી કેમ પ્રાપ્ત થશે, એવી ચિતામાં આકુલ થઇ ગયા હોય તેમ અગાઉ પ્રમાણે આભૂષણા આપતા નહાતા. વ્યુત્પત્તિ શક્તિની મંદતાવાળા કવિ જેમ સારી કવિતા મંદતાથી કરી શકે તેમ ગેહાકાર વૃક્ષ ઘર આપવામાં મદતા લાગ્યા અને નઠારા ગ્રહેાવડે અવગ્રહ થયેલા મેઘ જેમ થોડા થાડા જળને આપે તેમ અનગ્ન વૃક્ષેા વસ્ત્ર આપવામાં સ્ખલન પામવા લાગ્યા. કાળના તેવા અનુભાવથી યુગલીયાઓને પણ દેહના અવયવાની જેમ કલ્પવૃક્ષેા ઉપર વિશેષ મમતા થવા લાગી. એક ચુગલીઆએ સ્વીકાર કરેલા કલ્પવૃક્ષના બીજે યુગલીક આશ્ચય કરે તેા પ્રયન સ્વીકાર કરનારને મોટો પરાભવ થવા લાગ્યા, તેથી પરસ્પર તેવા પરાભવ સહન કરવાને અસમર્થ યુગલીઆઓએ પોતાથી અધિક એવા વિમલવાહનને સ્વામીપણે અગીકાર કર્યા. જાતિસ્મરણથી નીતિજ્ઞ વિમલવાહને વૃદ્ધ પુરુષ જેમ પોતાના ગેાત્રીઓને દ્રવ્ય વહે...ચી આપે તેમ યુગલીઆએને કલ્પવૃક્ષ વહેંચી આપ્યા. જો કેઈ બીજાના કલ્પવૃક્ષની ઇચ્છાએ મર્યાદાના ત્યાગ કરે તેા તેને શિક્ષા કરવાને માટે તેણે હાકાર નીતિ પ્રગટ કરી, સમુદ્રની ભરતીનું માજી જેમ મર્યાદા ઉલ્લઘે નહીં, તેમ ‘હા ! તેં દુષ્કૃત્ય કર્યુ” એવા શબ્દથી શિક્ષા કરેલા યુગલીઆએ તેની મર્યાદાનું ઉલ્લંઘન કરતા નહોતા. ઈંડાદિકાના ઘાત સહન કરવા સારા પણ હાકાર શબ્દવડે કરેલા તિરસ્કાર સારા નહી.’ એમ તે યુગલીઆએ માનવા લાગ્યા. તે વિમલવાહનનુ છ માસ આયુષ અવશેષ રહ્યું એટલે તેની ચદ્રયશા નામે સ્ત્રીથી એક યુગ્મના જન્મ થયા. તે જોડલું અસંખ્ય પૂર્વના આયુષ્યવાળુ, પ્રથમ સ’સ્થાન અને પ્રથમ સૉંઘયણવાળું, શ્યામ વર્ણનુ' અને આઠસે ધનુષ પ્રમાણ ઊંચા શરીરવાળુ હતું. માતાપિતાએ તેનાં ચક્ષુષ્માન્ અને ચકાંતા એવાં નામ પાડ્યાં. ૧. સદાત્રત દેનારાની. કરવા ૪૮
SR No.032704
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy