SearchBrowseAboutContactDonate
Page Preview
Page 778
Loading...
Download File
Download File
Page Text
________________ વિસમાસકાની સંસ્કૃતિની જીંદગી ધની બનવા માંડી છે, તથા વિશ્વવ્યાપક થવા માંડી છે. આ રીતે વિશ્વઈતિહાસની વિશ્વવ્યાપક એવી વિશ્વ હિલચાલ વિમુક્તિની હિલચાલ બની છે. હીદ, ચીન, બ્રહ્મદેશ, ઈન્ડોનેશિયા, હીંદી ચીન, ઉત્તર કોરીયા, સીલેન, વિગેરે અનેક દેશ પર તથા મધ્યપૂર્વના દેશો પર આ રાષ્ટ્ર વિધાયક હિલચાલ એટલા જ માટે, વિશ્વશાંતિની વિધાયક તથા વિમુક્તિનાં સર્વ સામાન્ય એવા ઘેરણવાળી, ન્યાય સમતાની એક વિશ્વની સહકારી ઘટના તરફ આખા વિશ્વની પ્રજાઓને લઈ જનારી બની છે. • સામ્રાજ્યવાદી પરાધીનતા વિરૂદ્ધ, રાષ્ટ્રવિમુક્તિનું વિશ્વઈતિહાસનું પહેલું એકમ, રૂસીકાન્તિ વિશ્વ સંહારના રૂપની સામ્રાજ્યવાદ નીચેની ગુલામી અથવા પરાધીનતામાં સપડાયેલા રાષ્ટ્રોમાં બીજા વિશ્વયુદ્ધ પછી વિમુક્તિની હિલચાલને આરંભ થયે. વિશ્વ ઈતિહાસમાં વિમુક્તિની હિલચાલ નામને નુતન યુગ પહેલીવાર શરૂ થયો. વશમા સૈકાના અધવચમાં વિશ્વનું રૂપ આ યુગાન્તરથી અંકાઈ ચૂક્યું, વિમુક્તિની આ હિલચાલ વિશ્વશાંતિની ઘટના માટે એક સળંગ સુત્ર જેવી બની ગઈ. એને અર્થ એ થયો કે હવે આખા જગતમાં એક નવી જાતના વિભાગમાં રાષ્ટ્રો વહેંચાઈ જવા માંડયાં. આજસુધી દુનિયામાં બે જ જાતનાં રાષ્ટ્ર હતાં. એક શાહીવાદી અથવા સામ્રાજ્યવાદી અને બીજો વિભાગ પરાધીન અથવા સંસ્થાન રાષ્ટ્રોને હતે. રૂસી ક્રાન્તિ પછી એ મહાન રાષ્ટ્રપર ઈતિહાસનું ત્રીજી જાતનું રાષ્ટ્ર સ્વરૂપ દેખાયું. જે રૂપ શાહીવાદી ન હોય અને પરાધીન સંસ્થાન પણ ન હોય પરંતુ વિમુક્ત હોય તેવું આ રાષ્ટ્રનું સ્વરૂપ હતું. પછી બીજું વિશ્વયુદ્ધ આવ્યું અને તેના અંતમાં જ ત્રીજી જાતનું આ રાષ્ટ્ર સ્વરૂપ એશિયા અને આફ્રિકાના રાષ્ટ્રમાં વિસ્તાર પામવા લાગ્યું. આ ત્રીજી જાતના રાષ્ટ્ર એટલે વિમુક્ત રાખ્યું. જે રાષ્ટ્રોએ પિતાની પરાધીન અથવા સંસ્થાનિક દશામાંથી વિમુક્તિ મેળવવા માંડી તેવાં રાષ્ટ્રોને આ ન વિભાગ બન્યા. આજના જગતમાં નૂતન વિમુક્ત એવાં રાષ્ટ્રના આ વિભાગમાં, આ ભથી, ચીન અને ભારત આવતાંની સાથે જ જગતભરમાં તે વિભાગ ભૌગોલિક તથા માનવ સંખ્યાની રીતે સૌથી મોટો વિભાગ બની ગયે. સેવીયેટ રૂસની પડોશમાંના જ આ બે મહાન અને વિરાટ રાષ્ટ્રો વિમુક્ત બનીને, વિમુક્તિના વિશ્વશાંતિના ધ્યેયને ધારણ કરવા માંડ્યા. જગતની શાહીવાદી ઘટનાને સુકાની બનેલ અમેરિકન શાહીવાદ એટલે જ સૌથી વધારે ચિંતાતૂર બની ગયે. એટણે જ વિમુકિતની હિલચાલે અને વિશ્વશાંતિનાં સંચાલને સૌથી વધારે
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy