SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૮ વિશ્વ ઈતિહાસની રૂપરેખા કેજના કશું અમેરિકાને મહાન પ્રમુખ પણ દાખવી શકે નહીં. અમેરિકાની શાહીવાદી અર્થ ઘટનાએ બધો વેપાર બધા દેશો સાથે મુક્ત રીતે કરવાને ચાલુ રાખે. વ્યાપારની આ લુક લેભી એવી રાજકીય પરદેશનીતિ શસ્ત્ર સરંજામના ઢગલા, જર્મની, ઈટાલી અને જાપાન જેવા યુદ્ધ ખેર દેશને પણ વેચતી જ હતી. ઈ. સ. ૧૯૩૫માં આક્રમણખોર ઈટાલીને તથા, ૧૯૩૬ માં, સ્પેનીશ લેકશાહીનું ખૂન કરતા યુદ્ધખેર, અને ફાસીવાદી ઈટાલી તથા જર્મનીની સરકારને પણ એણે યુધ્ધન સરંજામ વેચ્યા ક્ય. ઈ. સ. ૧૯૩૭માં જાપાને ચીન પર આક્રમણ કર્યું ત્યારે શાહીવાદી એવી સંહાર ઘટના પર આગેવાન બનેલા આ અમેરિકન દેશની પરદેશનીતિનું રૂવાડું પણ હાલ્યું નહિં. યુધ્ધાર એવી શાહીવાદી રચના યુરેપ કે અમેરિકામાંથી આક્રમણના ફાસીવાદી રૂ૫ને અટકી જવાને એક પડકાર આપી શકી નહીં. અમેરિકાની ન્યુડીલે યુધ્ધને સંહારક સરંજામ, ફાસીવાદી આક્રમણખોરને વેચ્યા કર્યો તથા મેઢેથી, શાંત ભાટેનાં, તરંગી પ્રવચને મહાન પ્રમુખ રૂઝવેલ્ટે કર્યા કર્યા. યુરોપની શાહીવાદી ઘટમાળની અંગ્રેજી અને ફ્રેંચ આગેવાનીએ નિષ્પક્ષતાનું ફારસ રચીને જેમ જગત પરના સંહારના પડછાયાઓને પોષ્યા કર્યા તેજ પ્રમાણે શાંતિના પ્રવચને કરતાં કરતાં, શાહીવાદી અમેરિકી ઘટનાઓ પણ ચીન, એલિસીનીયા. અને સ્પેનના લેક સમુદાયે પરના સંહારક આક્રમણોને પોષ્યા કર્યા અને ચેંબર લેઈન તથા દલાદીયરની ઘાતકી એવી પરદેશ નીતિને જ અપનાવ્યા કરી. અમેરિકન લેક સમુદાયના પિતાની શાહીવાદી સરકારના વિરોધના જવાબમાં અમેરિકન સરકારના સેક્રેટરી, હલે, ઈ. સ. ૧૯૩૭ માં કહ્યું કે, “ચીન, એબિસીનીયા અને સ્પેઈનમાં ચાલે છે તે યુદ્ધ નથી, આપણે હેશિયાર રહેવું જોઈએ તથા શાંત રહેવું જોઈએ.” પ્રમુખ રૂઝવેલ્ટની આ ન્યુડીલની સરકારની રાજનીતિને ઉચ્ચાર, તેના શાહીવાદી સ્વરૂપને ફેટ કરતે હતે.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy