SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ યુપીય ઉત્થાનને જનક, ઈસ્લામ ૨૮૧ સમુદાય માટે બીલકુલ સરળ અને સર્વજ હતું કારણ કે, આ સંસ્કૃતિને સિદ્ધાંત કહેતે હતું કે “અલ્લાહ એક છે, અને તેનો પયગંબર મહમ્મદ છે.” આ કથનમાં કોઈ આક્રમક અહંભાવ નહોતે. કુરાનના ધર્મપુસ્તકમાં બિલકુલ સરળભાવે કહેવામાં આવ્યું કે દરેક દેશમાં આવા પિતાપિતાના પાયગંબર અથવા સતે હોય છે. આવા અનેક પયગંબરમાં કુરાને, અબ્રાહમ, મેસેસ, તથા જિસસને મહાન પયગંબર તરીકે સ્વીકાર કર્યો. અરબસ્તાનની ભૂમિપર આવે અથવા સૌથી મટે પયગંબર મહમદ થયે. આવા સીધા સાદા માનવ ધર્મો, જીવન વ્યવહારની ચાર ધર્મફરજો આપી,એક પ્રાર્થના બીજ ફરજ દાન, ત્રીજી અપવાસ, અને ચોથી યાત્રાને ગણાવી. આ ફરજોમાં પહેલી ફરજ માટે અરબસ્તાનની ધરતી પર દિવસમાં પાંચવાર, સ્વચ્છ બનીને નમાજ પઢવાની, બાંગ પૂકારાવા માંડી. આ વેરાન ધરતીને ઢંઢોળીને, મજીદના મિનારાની ટોચ પરથી અલ્લાહની યાદ માટે પ્રશાન્ત રાત્રિને શતકાર ભેદીને, માનવ સંસ્કૃતિને સાદ પાંચ પાંચવાર બાંગ પૂકારવા લાગ્યો. મક્કાની દિશા તરફ મુખ ફેરવીને માનવસમાજના, ઉપરથી માંડીને તે બધા નીચલા થરમાં એકમેક સાથે ખભેખભે અડાડીને એક અલ્લાહની યાદમાં માનવ બંધુતાની ન્યાયસમતાને આરંભ પ્રાર્થનાથી શરૂ થવા લાગે. માનવીના રૂપને, પ્રાર્થના કરતું, વિરાટ માનવનું એકરૂપ બનાવવામાં આવ્યું. આ પ્રાર્થનાના જેવા સીધા સાદા ધર્મ ક્રિયાના રૂપને ક્રિયાકાંડ બનાવી દેનાર પાદરીની કઈ સંસ્થા આ સંસ્કૃતિએ બનવા દીધી નહી. આ પ્રાર્થનાની દોરવણી દેનાર ઈમામ, પાદરી નહીં પણ અદને માનવી જ રહ્યો તથા તેણે પણ પિતાને નિર્વાહ ધંધારોજગારથી કરવાનું નક્કી થયું, એટલે જ માનવભાવ પર રચાયેલા આ ધર્મવ્યવહારનું આર ભનું સ્વરૂપ બિલકુલ સહીંગણુ રહી શક્યું. ખ્રિસ્તીઓ, ઝેરસ્ટ્રીયન, સેબીયન અને યહુદીઓ માટે આ શાસનમાં સમભાવ કેળવાય. વિધમાઓએ માત્ર વિધમી તરીકે પલ ટેસ” નામનો કર આપ પડત. પરંતુ આ કરમાંથી સાધુઓ, સ્ત્રીઓ, બાળકે, ગુલા, વૃદ્ધો અપંગ, તથા ગરીબ બાકાત હતાં. આ કારણથી જ જેરૂસલેમના ચહદીઓએ, ખ્રિસ્તી જુલ્મોમાંથી પિતાને છૂટકે કરનાર તારણહાર તરીકે ઈસ્લામને આવકાર આપ્યો. આ સંસ્કૃતિને લીધે જ યહુદીઓ એશિયાના ત્યારના દેશમાં આબાદ થયા તથા તેથી જ આ શાસન નીચે આવેલા પેઈનમાં પણ વધારે છૂટથી રહી શક્યા. ખ્રિસ્તી ધર્મ તરફ પણ આ ધર્મશાસન તરફથી કોઈપણ જાતને અણગમે બતાવવામાં આવ્યું નહીં.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy