SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ વિકવ ઈતિહાસની રૂપરેખા સંસ્કૃતિને ઈતિહાસે ભેટ દિધેલો રેમન કાનૂન રેમન સંસ્કૃતિનું રૂપ મુખ્યત્વે વહિવટી તંત્રનું સામ્રાજ્ય સ્વરૂપ હતું. આ સામ્રાજ્યના સ્વરૂપે સામાજિક જીવન વ્યવહારના બંધુભાવમાં કઈ મૂલ્ય દિધું નહીં અને આ સ્વરૂપ જીવન વ્યવહારને પાયા જેવા વૈજ્ઞાનિક વ્યવહાર રૂપના વિકાસમાં પણ કેઈ નવી શેપ આપી શક્યું નહીં. છતાં એણે સામાજિક શાસ્ત્રમાં એક ને જ વ્યવહારપાઠ ઈતિહાસની પ્રયોગશાળામાં ઘડીને અને પિતાના જીવનના વહિવટમાં ધારણ કરીને જગતને એનાયત કર્યો. આ પાઠને આરંભ એણે રોમન જીવનમાં પેટ્રીશિયન અને પ્લેબિયન નામના બે વર્ગો વચ્ચે ચાલતા કલહમાં અને એ કલહને પહેલાં બળ વડે દાબી દેવાની અને પછી સમાધાન વડે સમજી લેવાની અને દબાવીને પિતાના જીવન વહિવટમાં ગોઠવી લેવાની કળાના વહિવટી જ્ઞાનથી શરૂ કર્યો. ત્યારપછી આ પદાર્થ પાઠને એણે પારકા દેશને છતીને તેમને પરાધીન બનાવીને તેમનું શોષણ કાર્ય કરવાના સામ્રાજ્યના વહિવટી વ્યવહારમાં છ દીધે. આ પદાર્થ પાઠનું સત્વ બનાવીને રોમન સંસ્કૃતિએ ભવિષ્યનાં સામ્રાને કામ આવે તે રોમન કાનૂન ઘ. આર્થિક મિલ્કતને ધારણ કરનારાઓ તથા રાજકીય હકુમતનું શાસન ચલાવનારાઓએ સમાજ પર પોતાનો અધિકાર ચાલુ રાખવાની કળા આ કાનૂનને કાયદામાં ભરીને આલેખી. - રોમન કાનૂન પ્રમાણે મિલ્કતના હક્કો અને શાસનના અધિકારે સૌ અધિકારોમાં ઉચ્ચ અને સનાતન લેખાયા. આ અધિકારના રેમન સ્વરૂપની ત્યારની સૌથી મોટી મિલ્કત ગુલામ નામને માનવ સમુદાય હતે. આ સમુદાયને પિતાના જીવન વહિવટની સર્વાગી પકડ નીચે રાખવાની તમામ તરકીબેને આ કાનને કાયદા અને વ્યવસ્થાની સાચવણી કરનારા એક માત્ર ઈન્સાફ તરીકે સ્થાપિત કરી. પરંતુ રેમન કાનૂનનું આ ઈન્સાફી સ્વરૂપ ઈતિહાસને માનવ જીવનવ્યવહાર ફેંકી દેવાનું હતું. આ ઈન્સાફને કાનૂન અને વ્યવસ્થા ઘડનારૂં રોમન સામ્રાજ્ય હવે જગત પરથી નાશ પામી ગયું હતું છતાં વીસમા સૈકા સુધી ઈતિહાસમાં આવનારા નવાં સામ્રાજે અને તેમનાં વહિવટી તંત્રો માટે રેમન કાનન, નિશાળોના અભ્યાસક્રમો માટે નક્કી થઈ ગયો. રોમન કાનૂનની અભ્યાસ પોથીઓની અનેક નકલે છપાઈ અને નવાં સામ્રાજ્યની વિદ્યાપીઠોએ આ કાનૂનની આવડતપર વકીલાતની વિદ્યાપ્રવૃત્તિને સંસ્કૃતિના વિદ્યાભ્યાસમાં દાખલ કરી દીધી. રેગન શહેનશાહતના અંત પછી પેસ, રેખાના ને બદલે પેકસ બ્રિટાનિકાનું નૂતન નામ ધારણ કરનારી ઈતિહાસની ઓદ્યોગિક સામ્રાજ્યવાદી ઘટનાને મન કાનન વારસ બન્યા.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy