SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ અટક કામ ઉત્સાહપૂર્વક હાથ ધર્યું એટલું જ નહિ પણ કેટલું મહત્વનું માર્ગદર્શક કામ ઉકેલ્યું પણ છે. એ પ્રમુખપદને લઇનેજ નામદાર સરકારે ફરીથી કદર કરીને આપને દિવાન બહાદુરનો માનવંતા ઇકબ ઈનાયત કર્યો છે, અને તેથી આપને જ નહિ પણ આપણું ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીને પણ માન આપ્યું છે એમ અમે માનીએ છીએ. આવું વિરલ માન વર્ષોનાં વર્ષો સુધી ભગવાન શ્રી જગન્નિયંતા પરમેશ્વર આપને દીર્ધાયુષ આપો અને ભવિષ્યમાં અધિકાધિક માન અને પ્રતિ પ્રાપ્ત થાઓ એ અમારી શુભાશિપ અને આકાંક્ષા છે. અમારી ભવિષ્યવાણ ફળીભૂત થવાથી, અમે નીચે સહીઓ કરનારા આપના શુભચિંતક મિત્રે ઘણો આનંદ પામીશું. ગુજરાત વર્નાક્યુલર સાઈટી, અમે છીએ, અમદાવાદ, તા. ૨૮ મી ડિસેમ્બર ૧૯૨૭) આપના સ્નેહી બંધુઓ, સો. વિદ્યાગૌરી રમણભાઈ નીલકંઠ રમણભાઈ મહીપતરામ નિલકંઠ, ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી આનન્દશંકર બાપુભાઈ ધ્રુવ કૃણલાલ નરસીલાલ દેસાઈ મંગળદાસ ગીરધરદાસ ગણેશ વાસુદેવ માવલંકર ખુશાલદાસ શેકળદાસ પટેલ અંબાલાલ દલસુખરામ લખીયારા મુળચંદભાઈ આશારામ શાહ ચીમનલાલ દલપતરામ વિ જોસફ બે જામીન હેમી પી. ચાહવાલા નગીનદાસ પુરૂનામદાસ સંઘવી પ્રાણજીવનદાસ નારણદાસ હૈટર જનુભાઈ અચરતલાલ સ૮ ગદુલાલ પીલાલ ધ્રુવ ઍન, સેક્રેટરી અને મેનેજીંગ કમિટીના સભ્યો, ગુ. વિ. સેસાઇટી, ત્યાર બાદ ગત વર્ષમાં આપણા બે અગ્રગણ્ય વિદ્વાને દી. બા. કેશવલાલ અને શ્રીયુત નરસિંહરાવભાઈ એમના પિણમા વર્ષમાં પ્રવેશ કરતા હતા, એ માંગલિક પ્રસંગને ઉજવવાને સોસાઈટીએ નિર્ણય કર્યો હતો, તદનુસાર તૈયાર થયેલે બુદ્ધિપ્રકાશને અભિનંદન અંક આ જુલાઈ માસમાં એ બે વિઠાનેને ભેટ ધરવામાં આવ્યો હતે. સાઈટીના ઇતિહાસમાં આ બનાવ અપૂર્વ હતો અને તે ચિરસ્મરણીય રહેશે.
SR No.032697
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1934
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy