SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ * ૧૦૨ ચલાવી કે મારાં તથા મારી પત્નિનાં સગાં હમને મળવા આવી હમારી ગોળીનું પાણી પીવે છે તે પરથી નાતમાં વાત ચાલી કે એના ઘરમાં એનું જે સમું જશે તેને નાત બહાર ગણવામાં આવશે. એથી સગાં ડરી રડવા લાગ્યાં. ઘરમાં છોકરો માંદે ને નાતનું આવું તેફાન, એ બેના એકઠા થવાથી હું અકળાયો. મારા સંકટનો કઠણમાં કઠણ સમય આ હતા. એ વેળા મારા ટાંટીયા ઢીલા થયા ને મારા મિત્ર નન્દશંકર તુલજાશંકર જોડે . વાત કરતાં છાતી ભરાઇ જવાથી આંખમાં જળજળિયાં આવ્યાં; પણ આ પતિવ્રતા નારીનું ધૈર્ય ઓછું થયું નહિ. ઘરમાં એની તરફનું દુ:ખ મને જરાએ ન હતું. મેં તેને કહ્યું હતું કે નાગરની નાતમાં પાછા નહિ ભળાય તે એ છોકરો કુંવારો રહેવાનું નથી. સુધારાને પ્રવાહ વધતો જાય છે તેથી કાંઈ નવાઈના બનાવ બનશે. તે જાણતી હતી કે સારું કામ છતાં લેકના વિચારથી તે વિરુદ્ધ હોય તે તેઓ સામા થાય તેમાં નવાઈ નથી. સામાન્ય સુધારા સંબંધી, જ્ઞાતિનાં બંધન સંબંધી, હવે પછી બીજા બ્રાહ્મણ વાણઆ વિલાયત જશે અને તેમનું શું થશે, વહેમનું બળ ઓછું થશે, ધર્મ સંબંધી લે કના વિચાર સુધરશે, એ વગેરે વિષયોની વાત કરી હમે હમારાં મન શાંત રાખતાં. નબળા મનની સ્ત્રીની હિમ્મત આ વખતે રહે નહિ. તે પંડે દુઃખી થાય ને તેના ધણીને સંતાપી સુધારાવાળા હાથ મૂકાવે. મહીપતરામના મનમાં એમના પિતાની પિતાથી ઉત્તરકિયા થઈ ન સવાથી ખેદ રહેતો. તેથી અમદાવાદ પાછા આવ્યા બાદ દેહ પ્રાયશ્ચિત્ત કરી, એમણે પિતાનું ઉનમાસિક શ્રાદ્ધ સરાવ્યું હતું. એ પ્રાયશ્ચિત્ત વિધિની સવિસ્તર હકીકત સન ૧૮૬૨ ના “બુદ્ધિપ્રકાશ' માં આવેલી છે. જિજ્ઞાસુએ તે જોવા જેવી છે. અમે સાંભળ્યું છે કે આ કાર્યમાં કવિ દલપતરામે સારી સહાયતા આપી હતી અને ધોળકાના બ્રાહ્મણોએ મહીપતરામને સાથ આપ્યો હતો તે કવિ દલપતરામના ત્યાંના સંબંધને અને એમના પ્રત્યેના માનને લઇને હતા. અમદાવાદમાં આવી રહ્યા ત્યારથી મહીપતરામ સાઈટીના કામકાજમાં રસ લેતા. વિદ્યાભ્યાસક મંડળીના આશ્રય હેઠળ એમણે ગુજરાતી ભાષા ' વિશે ભાષણ આપેલું તેને પહેલા વિભાગમાં ઉલ્લેખ કરે છે અને સન ૧૮૬૪ને વાર્ષિક રીપોર્ટ મંજુર કરવા સામાન્ય સભા તા. ૧૮ મી • જુઓ “પાર્વતીકુંવર આખ્યાન ", પૃ. ૧૭, ૧૮, ૧૯, , * “બુદ્ધિપ્રકાશ’ સન ૧૮૬૨, ૫.
SR No.032696
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1933
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy