SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૬. ૭ જોઇએ તેટલી સરસાઇ નહિ હોય અથવા આવેલા નિષધા ઈનામને લાયક નહિ હોય તે ઈનામ નાડુ આપે અને તે ઈનામ આવતા વરસના ઈનામમાં મેળવી દેવામાં આવશે. ' પાસ થયેલા નિબંધ પાસ થયા પછી એક મહિનાની અંદર, ગુજરાત વર્નાક્યુલર સોસૈટી પ્રગટ કરશે, અને તેનું ઈનામ જાહેર સભામાં આપશે. અમદાવાઢ. તા. ૧૨ એપ્રિલ સન ૧૮૬૪, સહી સારામજી જમરોદજી જીજીભાઈ, પ્રસ્તુત કુંડના ઇનામમાંથી આજ પર્યન્ત ૨૧ પુસ્તકા રચાઇને બહાર પડેલાં છે; પણ આ પહેલા ખંડની કાળમાઁદા સન ૧૮૭૮ સુધી રાખેલી છે, તેથી અમે એ ગાળામાં જે નિબંધો લખાઇને આવેલા તેની જ સમાલેાચના કરીશું. પહેલા નિબંધ ‘ ગુજરાતી ભાષાના ઇતિહાસ ' એ વિષયપર શાસ્ત્રી વ્રજલાલ કાળિદાસનેા આવેલા અને તેની ઉત્તમતા વિષે એટલું નોંધવું ખસ થશે કે તેનું સ્થાન લે એવું ખીજાં પુસ્તક અદ્યાપિ ઉપલબ્ધ નથી; અને એમની એ વિષયની યાગ્યતા વિષે કવિશ્રી દલપતરામે ‘ ઉત્સગ માળા ’ ની પ્રસ્તાવનામાં એમની—શાસ્ત્રીની-અન્ય કૃતિમાં દર્શાવેલા અભિપ્રાય ટાંકાશું: “ ગુજરાતમાં શાસ્ત્રીએ છે પણ આવે નિબંધ રચી શકે એવા તે વ્રજલાલ શાસ્ત્રી જ છે. એ શાસ્ત્રી વિદ્યા ખાતાને ઘણા ઉપયાગી છે. ’ "" સદરહુ નિબંધ રચવામાં એમણે ઘણાં હસ્તલિખિત પુસ્તકાના ઉપયેગ કરેલા અને તે કામાં સાધના જોતાં એમના એ પ્રયાસ ખરેખર સ્તુતિપાત્ર લેખાય. એમણે એ નિબધમાં નાંધેલી ઘણી ખરી હાથપ્રતે ગેરવલ્લે ગઈ છે એ બહુ શાચનીય થયું છે. આવા ખીજો ભાષા વિષયક નિબંધ “ ઉત્સર્ગ માળા ” નામથી એમણે રચ્યા હતા. એમાં સંસ્કૃતમાંથી પ્રાકૃત, પ્રાકૃતમાંથી અપભ્રંશ અને અપભ્રંશમાંથી જુની ગુજરાતી કેવી રીતે વિકાસ પામી હાલની સ્થિતિએ પહેાંચી છે તેના ઉત્સગ નિયમે સમજાવેલા છે; અને ભાષાનાં વિકાસ અને વિકાર સમજવાં માટે આ નિબંધ અભ્યાસીને મદદગાર અને ઉપયાગી થાય એ છે; એટલુંજ નિહ પણ ગુજરાતીમાં આ વિષયના અભ્યાસ કરનારને આ - બુદ્ધિપ્રકાશ, ૧૮૭૯, પૃ. ૧૫૪–૧૫૫,
SR No.032695
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1932
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy