SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૭ આપણું જાણીતી વાત છે. વળી રાજગાદીએ સ્ત્રી પણ આવી શકે છે. પરંતુ ગાદીએ આવતાં જ દેશના કાયદાઓ અને રૂઢિઓને માન આપી દે અનુસાર વર્તવાની, સર્વ પ્રજાને સમાન ન્યાય આપવાની, અને ધર્માલયોની સ્વતંત્રતા જાળવવાની રાજા કે રાણીને પ્રતિજ્ઞા લેવી પડે છે. ખાસ હકે કેટલે અંશે વાપરી શકાથ? (અ) રાજા અને પાર્લમેન્ટઃ રાજાને પાર્લમેન્ટ બેલાવવાની, તેને મેકફ રાખવાની અને તેને વિસર્જન કરવાની ખાસ સત્તા છે. રાજાની આ સત્તા કેટલી અનિયંત્રિત હતી, એ ટયુડર અને ટુઅર્ટ સમયમાં આવી ગયું છે. પરંતુ હવે તે રાજા એ સંબંધમાં કેબિનેટની સલાહ સિવાય કંઈ કરી શકતા નથી. રાજાનું સ્થાન પાર્લમેન્ટમાં નહિ હોવાથી પાર્લમેન્ટ પસાર કરેલા કોઈ પણ ખરડા ઉપર જ્યાં સુધી રાજાની સહી ન થાય, ત્યાં સુધી તે કાયદા તરીકે લેખાતું નથી. જો કે આ બાબતમાં પણ રાજાની સત્તા પર અંકુશ છે; કારણ કે પ્રજાની પ્રતિનિધિરૂપ આમની સભાએ પસાર કરેલા ખરડા ઉપર સહી કરવાની રાજા ના પાડી શકતો નથી. (4) રાજા અને રાજ્યવહીવટઃ પ્રાચીન સમયમાં રાજા પોતાની મરજી મુજબ પ્રધાન નીતિ; પણ વિલિયમના વખતથી એવી નીતિ સ્વીકારવામાં આવી છે, કે જે પક્ષ આમની સભામાં બહુમતી ધરાવતો હોય તે પક્ષમાંથીજ રાજા પિતાના પ્રધાને નીમી શકે. એથી કરીને આમની સભાની ચૂંટણી પછી રાજા વધુમતી પક્ષના આગેવાનને બોલાવી પ્રધાનમંડળ રચવાનું સૂચવે છે; અને તે નેતા પિતાના પક્ષના સભ્યોમાંથી પ્રધાનમંડળ રચે છે. આમ રાજાને મુખ્ય પ્રધાન (Prime Minister )ની નીમણુક કરવાને હક છે; છતાં એ પ્રધાનમંડળ રાજાને નહિ, પણ પાર્લમેન્ટને જ જવાબદાર રહે છે. રાજા આ પ્રધાનમંડળની સંમતિ વિના કંઈ પણ કરી શકતે નથી, એટલે રાજાનાં તમામ કાર્યો માટે પ્રધાને પાર્લમેન્ટને જવાબદાર રહે છે. રાજા કંઈ અનિષ્ટ કરે તે તેને માટે સલાહ આપનાર પ્રધાનજ જવાબદાર ગણાય છે. આથી જ ઈગ્લેન્ડના રાજતંત્રમાં “ રાજા કંઈ ખાટ કરી શકે નહિ” (The King can do no wrong) આ સૂત્ર સર્વમાન્ય થઈ પડ્યું છે.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy