SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ પૂરવણી ૨ જીવનચરિત્રો એડમંડ બર્કઃ એડમંડ બર્કનો જન્મ ઈ. સ. ૧૭રમાં ડબ્લિનમાં થયો હતો. ઇ. સ. ૧૭૬૫માં તે પહેલવહેલે રેકિંગહામનો ખાનગી મંત્રી બન્યો, ત્યારથી તેની રાજકીય કારકીર્દિ શરૂ થઈ. બીજે વર્ષે એ પાર્લમેન્ટમાં આવ્યો. તેણે પિતાની વકતૃત્વશક્તિને સારો પરિચય કરાવ્યું. તેણે ચૅર્જિની પરદેશનીતિ સંબંધી ટીકા કરી. એથી તે પ્રકાશમાં આવ્યું. અમેરિકન સ્વાતંત્ર્યવિગ્રહ વખતે સંરથાનવાસીઓને મનાવી લઈ–તેમના પર નખાએલા કરે દૂર કરી–સમાધાન કરી લેવા તેણે પામેન્ટમાં સચોટ ભાષણ કર્યું હતું. અમેરિકને તરફ તેની સહાનુભૂતિ હતી. વળી ફ્રાન્સની રાજ્યક્રાન્તિનું સત્ય સ્વરૂપ સમજી જનાર એ એકલેજ બ્રિટિશ મુત્સદ્દી હતા. જ્યારે ફેંકશે ફાન્સની રાજ્યક્રાંતિના બનાવને વધાવી લીધે, ત્યારે બકે “ ફ્રાન્સની રાજ્યક્રાતિ પર ચિંતનો” બહાર પાડી પ્રજાને એ રાજ્યક્રાન્તિનું સત્ય સ્વરૂપ સમજાવ્યું, અને એ કાતિના ભયંકર ભાવી તરફ સમગ્ર પ્રજાનું લક્ષ દર્યું. ખરેખર, તેની એ આગાહી સાચી પડી ! અર્થશાસ્ત્રી બર્કઃ ઈ. સ. ૧૭૮૦માં બર્ક નાણાં સંબંધી સુધારાનો ખરડો લાવ્યો, પણ તે પસાર થયો નહિ. ત્યાર પછી ફરીથી તેણે બીજે ખરડો રજુ કર્યો. આથી “સિવિલ લિસ્ટ”માં રાજાને મળતાં નાણાંમાં ઘટાડે થયે, અને કેટલીક નકામી એ િકાઢી નાખી ખર્ચમાં બચાવ કરવામાં આવ્યો. તેણે કરેલા બીજા સુધારાથી એવું ઠર્યું, કે રાજાનું પેન્શન ખાનારા અને રેવન્યુ અમલદારે પાર્લમેન્ટમાં પિતાને મત આપી શકે નહિ. તેણે રેમન કેથલિક બંધનમુક્તિના પ્રશ્નને ટેકે આપે. - અમીરની સભામાં વૈરન હેસ્ટિંગ્સ સામે મુકર્દમે ચલાવી તેણે પાર્લમેન્ટના સભ્યોને હિંદની તે વખતની પરિસ્થિતિનો સંપૂર્ણ ખ્યાલ આ.* • " Burke did not, I believe, leave a dry eye in the whole assembly.” ૨૮
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy