SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૩ સુએઝની નહેરની વ્યવસ્થા ઉપર દેખરેખ રાખે છે; છતાં જ્યારે કાન્ઝર્વેટિવ પક્ષ અમલમાં હતા, ત્યારે પ્રધાનમંડળે મિસરની આંતરિક વ્યવસ્થામાં માથું મારવા માંડયું. આને પરિણામે મિસરમાં અશાંતિ અને અસંતષ ફેલાયા. દરમિઆન ઇજિપ્ટના હાઈ કમિશનર લાર્ડ લાઈડે ત્યાં કેટલીક ડખલગીરી કરી. પરંતુ ઈંગ્લેન્ડમાં મજુર સરકારને અમલ થયે, ત્યારે મિસર સંબંધી રાજનીતિમાં ફેરફાર થયા. હવે આંતરિક બાબતામાં ઇજિપ્તનું સ્વાતંત્ર્ય સ્વીકારાયું, અને લાર્ડ લાઇડને રાજીનામું આપવાની ફરજ પડી. અગત્યની તવારીખ ૧૮૮૧ અરખી પાશાનું ભંડ ૧૮૮૫ ગાર્ડનનું મૃત્યુ ૧૮૯૮ એમદુરમાનનું યુદ્ધ ૧૯૨૨ મિસરને સ્વાતંત્ર્ય મળ્યું, પ્રકરણ ૧૫મું સામ્રાજ્યમાં સ્વરાજ્ય ૧. કેનેડા ઇ. સ. ૧૭૮૩માં અમેરિકાનાં સંસ્થાને સ્વતંત્ર થયાં, તેનું કારણ ઈંગ્લેન્ડની તેમના પ્રત્યેની રાજનીતિ હતું. ઇ. સ. ૧૭૮૩ની વર્સેલ્સની સંધિ પછી ઈંગ્લેન્ડની સંસ્થાના પ્રત્યેની નીતિ બદલાઈ. એ સાથે સંસ્થાના સમૃદ્ધ થયા પછી સહેજે તેઓ માતૃભૂમિથી છુટાં પડી જવાનાં એવા મત ચાલવા લાગ્યા. વેપારી સ્વતંત્રતા આપ્યા પછી તેઓ માત્ર સ્વાર્થ જુએ છે, એથી સંસ્થાને સ્થાપવામાં લાભ નથી, અને તેમના સંરક્ષણ માટે નૌકાસૈન્ય રાખવું એ નાણાંને દુર્વ્યય કરવા જેવું છે, એવા મત પ્રબળ થવાથી સંસ્થાને વિષે દેશમાં ઉદાસીનતા આવી. હવે સંસ્થાનાના મંત્રીની જગા કમી કરી તેના વહીવટ યુદ્ધ ખાતાને સાંપવામાં આવ્યો. અમેરિકાનાં અમુક સંસ્થાના સ્વતંત્ર થયા પછી કૅનેડા, ગ્રુપ બ્રિટન, નાવાકાશિઆ, ન્યૂમ્રન્સવિક, પ્રિન્સ એડવર્ડ એટ આદિ ઈંગ્લેન્ડના તાબામાં રહ્યા, અને સ્વતંત્ર સંસ્થાનામાંથી પણ ઈંગ્લેન્ડના અધિકાર નીચે રહેવા ઇચ્છનારા અનેક લોકો આ પ્રાંતામાં જઈ વસ્યા. વિશેષે કરીને કેનેડામાં અંગ્રેજ વસ્તીનું પ્રમાણ વધવા લાગ્યું. ..
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy