SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૨ સૈન્યમાં દાખલ કરી જે વિલક્ષણ રાજદ્વારી કુનેહ ખાતવી, તેથી તે લેાકેાના આદરને પાત્ર થયેા. તેણે સંકુચિત અને સ્વાર્થી વૃત્તિ, પરસ્પર દ્વેષ, અને મિથ્યા આડંબરને દૂર કરી પોતાની રાજનીતિમાં તેજસ્વિતા, સાહસિકતા, નિઃસ્વાર્થતા, અને ઉચ્ચ નીતિમયતા દાખલ કરી પ્રજાના પવિત્ર ઉત્સાહને વધાર્યો. સંસ્થાને ના વિકાસ અને નૌકાબળની શ્રેષ્ઠતા ઉપર ઈંગ્લેન્ડની ઉન્નતિના આધાર રહેલા છે, એવું કહેનાર અને સમજનાર એ પહેલા મંત્રી હતા. તે પક્ષભેદથી ન્યાયાન્યાયને વિચાર ભૂલી જનારા પાર્લમેન્ટના સભાસદે કરતાં વિશાળ જનસમૂહના અભિપ્રાયને લક્ષમાં રાખીને કામ કરવાને હિમાયતી હૈ।વાથી તેને દેશબંધુ’ એવું સ્પૃહણીય ઉપનામ વર્યું છે. પ્રકરણ ૪થું જ્યા જો; ઇ. સ.૧૭૬૦-૧૮૨૦ સ્વભાવ અને આશયઃ જ્યાર્જ બીજાના પુત્ર ફ્રેડરિક તેની હયાતીમાં મરણ પામ્યા હતા, એટલે ફ્રેડરિકના પુત્ર જ્યાર્જ ૩ો ઇ. સ. ૧૭૬૦માં ૨૨ વર્ષની જુવાન વયે ગાદીએ આવ્યા. તે સેહામણા અને મીનલસાર સ્વભાવનેા હતેા. તે જમાનામાં કુલીન કુટુંાના યુવકેામાં શરાબમાજી અને દુરાચારે જોવામાં આવતા હતા. પરંતુ આ તક્ષ્ણ રાજામાં તેમાં એકે દુર્ગુણ નહેાતા, એટલે પ્રજાને તેના ઉપર અત્યંત ભાવ હતા. મરીઓને ઘેર જઈ તેમની નાની નાની સગવડ સાચવવાની અને ભેટા. આપવાની ટેવથી રાજાએ પ્રજા ઉપર ભૂરકી નાખી દીધી. તે દયાળુ, ધાર્મિક અને સદાચારી હાઈ કર્તવ્યનિષ્ઠાનું તીવ્ર ભાન ધરાવતા હતા. તે ઇંગ્લેન્ડમાં મોટા થયા હતા, એટલે અંગ્રેજી ભાષા શુદ્ધ ખેલી શકતા હતા, અને પેાતાને અંગ્રેજ કહેવડાવવામાં ગૌરવ માનતા હતા. તેને દેશનું કલ્યાણ થાય તેવી રીતે રાજ્ય કરવાની ઇચ્છા હતી. પરંતુ એ સાથે લેાકેા રાજ્યવહીવટ માતાના હાથમાં લે, એવી તેની ઇચ્છા ન હતી. તેની માતા નિત્ય કથા
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy