SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ . સલાહ ! અને આજ રાત પહેલાં મારા કાળ થશે ” એમ ખેલતા તે રણે ચડયા, પણ ત્યાંથી છાવણીમાં પાછે આવ્યા નહિ. આ યુદ્ધમાં કાઈ પક્ષે જય મેળવ્યા નહિ. ઉલટું બંને પક્ષ વધારે ને વધારે તૈયારી કરવા લાગ્યા. ઇતિહાસમાં ન્યૂબરીનું યુદ્ધ પ્રસિદ્ધ ગણાય છે; કારણ કે ત્યાર પછી પ્રજાપક્ષને વિજય સ્પષ્ટ થતા ગયે એટલુંજ નહિ, પણ રાજાના સૈન્યની શક્તિ નબળી પડતી ગઈ. પરિણામે પ્રજાનું જોર વધતું ગયું. ન્યૂબરીના યુદ્ધ પછી બંને પક્ષે પોતાનાં લશ્કર સુધારવા માંડયાં.પાર્લમેન્ટે પેાતાના લશ્કરની આમી જોઈ લીધી હતી, એટલે તેની કંઈક નવી રચના કરવાની જરૂર હતી. પૂર્વ પ્રદેશમાં પ્યૂરિટન લેાકેાનું જોર હતું, એટલે ત્યાંનાં તમામ પરગણાંનું એક ‘ પૂર્વીય સંમેલન ’ બન્યું. તેને વાસ્તવિક નેતા ઓલિવર ક્રેવેલ હતા. આ આલિવર ક્રોમ્બેલ લશ્કરે લિંકનશાયરને કબજો ટકાવી રાખ્યા હતા. અંતે પક્ષને બહારની મદદની જરૂર હતી, પણ યુરોપમાં ચાલતા મોટા વિગ્રહમાં ઘણાંખરાં રાજ્યેા જોડાયાં હતાં, એટલે બહારની મદદ મળી શકે તેમ ન હતું. આખરે રાજાની નજર આયર્લૅન્ડ પર ઠરી. પાર્લમેન્ટને પણ ધાર્મિક બાબતમાં છૂટછાટ મૂકીને સ્કોટ લેાકેાની મદદ લેવી પડી. પિમે સ્ફુટલેન્ડ જોડે વિષ્ટિ કરવા પેાતાને પ્રતિનિધિ મેાકલ્યા. એ મસલતને અંગે એવા ઠરાવ થયા, કે ઈંગ્લેન્ડે પ્રેસ્મિટિરિયન ધર્મને રાજધર્મ ગણવા, અને સ્કોટલેન્ડને નાણાંની મદદ કરવી. આના બદલામાં સ્કાટ લાકાએ પેાતાનું કસાએલું લશ્કર પાર્લમેન્ટને આપવાનું કબુલ કર્યું. સ્કાટ લોકાની જોડે થએલા
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy