SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ ઊન ફલાન્ડર્સ ચઢતું, અને ત્યાં બનેલું કાપડ ઇંગ્લેન્ડમાં વેચાતું. જમીનદારોને ઊન વેચી પૈસા મેળવવાને લેભ થયે, એટલે ખેતર ઉપરાંત ગોચરમાં પણ તેઓ ઘેટાં ઉછેરવા લાગ્યા. હવે ઢોર ચારો ચરવા ક્યાં જાય? ખેતરો ઓછો થવાથી લેકની રજી ઓછી થઈ, તેમાં જમીનદારના જુલમથી નવું દુઃખ ઉમેરાયું. નાનાં ગામડાં ઉજ્જડ થવા લાગ્યાં, અને કામ મળવાની આશાએ લેકે મેટાં ગામમાં જવા લાગ્યા. તેઓ ઊન વણતાં શીખ્યા. કાચું ઊન લાવીને સ્ત્રીએ રેટીઓ કાંતે, તાર તૈયાર કરે, અને પુરુષો બહાર સાળ ગોઠવીને તેનાં કપડાં વણે. આ કપડું વેપારીને ત્યાં વેચાય, અને વેપારી તેને બીજે ગામ મોકલી આપે. તે વખતે વણાટનાં કારખાનાં ન હતાં. સામાન્ય સ્ત્રીઓ ઘર આગળ કાંતતી, પણ પૈસાદાર વણકરે કામદાર રાખી તેમની પાસે કામ કરાવતા. હેનરી ૮માએ મઠની જાગીરે જપ્ત કરી મઠ બંધ કર્યા, ત્યારે લોકો પર નવી આફત આવી પડી. મઠની જમીન હેનરીએ અમીરોને આપી દીધી, અને અમીરેએ તેમાં ઘેટાં ઉછેરવા માંડ્યાં, એટલે ખેતીના ધંધાને નુકસાન થયું. મઠના સાધુઓ ગરીબોને મદદ કરતા, તે પણ બંધ થયું. આમ લેકેનો ઉદ્યોગ પડી ભાગ્યે, અને તેમનામાં અસંતોષ ઉભો થયો. એડવર્ડ ઇદ્રાના સમયમાં કારીગરોનાં મહાજનોનાં નાણાં લઈ લેવામાં આવ્યાં, એટલે ખેડુતો ઉપરાંત વેપારીઓ, કારીગરો અને ઉમેદવારોમાં ખળભળાટ મચી રહ્યો. દેશમાં કામ વિનાના રખડેલ માણસો અને ભિખારીઓ વધી પડયા, એટલે ચેરી અને લૂંટફાટ ચાલવા લાગ્યાં. પરદેશી મુસાફરોની શોધથી ઈગ્લેન્ડમાં વહાણ બાંધવાનો ઉદ્યોગ ચાલ્યો, અને ટયુડર રાજકર્તાઓએ તેને ઉત્તેજન આપ્યું. કેક અને હૈકિન્સ સફર કરી. હૈકિન્સ ગુલામો વેચવાની શરૂઆત કરી. ઇલિઝાબેથના અમલમાં હિંદુસ્તાન જોડે વેપાર કરવા માટે ઈસ્ટ ઈન્ડિઆ કંપનિ સ્થપાઈ. દેશમાં બટાટા, ગાજર, તમાકુ, વગેરેનાં વાવેતર થવા લાગ્યાં, અને ખેતીવાડીની પદ્ધતિમાં સુધાર થયે.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy