SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ ચુસ્ત પ્રોટેસ્ટ માનતા, કે ઈલિઝાબેથે ધર્મોદ્ધારને માટે નહિ જેવું કર્યું છે, અને કેટલાક હડહડતી કેથલિકે માનતા, કે તેણે વધારે પડતું કર્યું છે, પણ પ્રજાને આ માધ્યમ માર્ગ ગમી ગયે. - આ પ્રમાણે ઈગ્લેન્ડમાં સ્વતંત્ર ધર્મખાતાની સ્થાપના થતાં પિપનું ધર્માધિપત્ય ગયું, એટલે ઈગ્લેન્ડને સમાજ ધાર્મિક વિષયમાં સ્વતંત્ર બને એડવર્ડના સમયની ૪૨ કલમમાંથી ૩૯ કલમે સ્વીકારાઈ આજ પણ ઈગ્લેન્ડને ધર્મસમાજ આ કલમે સ્વીકારે છે. ધાર્મિક બાબતોમાં રાણી ઉદારચિત્ત હતી, પણ સ્કટ લેકેની રાણી મેરીને નામે ચાલતાં રેમન કેથેલિકોનાં તરકટ જાણું રાણીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું; અને કેથલિક પર જુલમ વર્તાવવા માંડ્યો. પરિણામે. જેસ્યુઈટને દેશનિકાલ કરવામાં આવ્યા. પાર્લામેન્ટ ઈંગ્લેન્ડના ધર્મવહીવટને માન ન આપનાર વિરુદ્ધ સખત કાયદા કર્યા. કેટલાક કહે છે કે મેરીના સમયમાં જેટલા ધાર્મિક જુલમે થયા, તેના કરતાં ઇલિઝાબેથના અમલમાં ઓછા થયા નથી. રિટન લેકેઃ ઈલિઝાબેથના અમલમાં એક નવો વર્ગ ઉભે થયો. કેટલાક ચુસ્ત ધામિકાને ચાલુ સુધારા કરતાં વધારે સુધારાની જરૂર લાગી. તેઓ યુરિટન–સુધારક પથીઓ' કહેવાયા. તેમની માગણીઓ એ હતી કે (૧) ધર્મમંદિરનો વહીવટ દીક્ષિત (Bishops)ને હસ્તક જોઈએ, (૨) ઈલિઝાબેથે ઉપાસનામાં રાખેલી થેડી ઘણું વિધિ દૂર કરવી જોઈએ, અને (૩) પ્રાર્થનામાલાની પોથીમાં વધારે સુધારા દાખલ કરવા જોઈએ. ઈલિઝાબેથે આ વર્ગ ઉપર સખતાઈ રાખી તેને દાબી દેવાને પ્રયત્ન કર્યો, પણ તેમની સંખ્યા વધતી ગઈ અને આગળ જતાં તેમણે મોટાં પરાક. કર્યો. સારાંશ એ કે– ૧. ઇંગ્લેન્ડમાં ઘણા વખતથી ધર્મસુધારણા કરવાની માગણું ચાલતી હતી; કેમકે ધર્માલયમાં ચાલતા દુરાચાર અને અવ્યવસ્થાથી લકે કંટાળ્યા હતા. ૨. નવી વિદ્યા અને મુદ્રણકળાને લીધે લોકમાં જ્ઞાનને પ્રચાર થયો. તેઓ બાઈબલ. વાંચતા વિચારતા થયા, એટલે ધર્મગુરુઓ અને પપનાં શાસ્ત્રવિરુદ્ધ કાર્યો જાણી શક્યા.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy