SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૦૦ દોડી આવતા. બાઈબલના અભ્યાસથી તેણે જોઈ લીધું કે શાસ્ત્રના આદેશ અને પપની આજ્ઞાઓમાં બહુ ફેર છે, અને પોપ તે બાઈબલમાં ન હોય એવી ઘણી વાતે કર્યો જાય છે. દરમિઆન જર્મનીમાં ક્ષમા વેચાવા આવ્યાં, એટલે લ્યુથરને પિત્તો ઉછો. તેણે મંદિરના દરવાજા પર જાહેરનામાં ચઢીને આ ક્ષમાપત્રોને શાસ્ત્રવિરુદ્ધ જણાવી તેમની નિંદા કરવા માંડી. આથી પિપે લ્યુથરને ધર્મ બહાર કર્યો, પણ લ્યુથરે પોપના ફરમાનને જાહેરમાં બાળી નાખ્યું. પરિણામે દેશમાં ખળભળાટ મચી રહ્યો. લ્યુથર જોડે શાસ્ત્રાર્થ કરવા એક શાસ્ત્રીને મોકલવામાં આવ્યો, પરંતુ તે હાર્યો એટલે લેકમાં લ્યુથરની કીર્તિ વધી. માર્ટિન લ્યુથર પોપે લ્યુથરને જવાબ દેવા માટે સેક્સનીમાં હાજર થવાનું ફરમાન કાઢયું. પિપના ફરમાનને માન આપી લ્યુથર ત્યાં ગયો, અને તેને વિરોધ કાઢી નાખવામાં આવ્યો, પણ તેની જિંદગી સલામત નહોતી; માત્ર સેકસનીનો ઠાકોર લ્યુથરને પક્ષને હતા, એટલે તે જીવતો રહ્યો; લ્યુથર રાતોરાત જીવ લઈ ના. ત્યાર પછી તેણે બાઈબલનું જર્મન ભાષામાં ભાષાંતર કર્યું. હવે ધર્મોદ્ધારનું કામ ત્વરિત ગતિએ ચાલવા માંડયું. અનેક માણસ જાતે બાઈબલ વાંચી ખરાખેટાને નિર્ણય કરી લ્યુથરના પંથમાં ભળવા લાગ્યા. પરંતુ લ્યુથર આટલેથી અટકે નહિ. તેણે એપ અને તેની વિધિઓ વિરુદ્ધ તીખી ભાષામાં જુસ્સાદાર લખાણ કરવા માંડ્યાં. તેણે પિપને ધર્માચાર્ય માનવાની ના પાડી અને સાધુસાધ્વીઓનાં દુરાચરણની સખત ઝાટકણી કાઢી. જર્મનીના કેટલાક ઠાકોર તેના પક્ષમાં ભળ્યા. લ્યુથરે સૌને પિકારીને શીખવ્યું કે શા સમજવાને સને હક છે, ઈશ્વરની ભક્તિ કરવામાં કઈ દલાલની જરૂર નથી, અને બાહ્ય કર્મકાંડ
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy