SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૯ વેદમાં આયુર્વેદનાં બીજે તે તે અવયવમાંથી રોગ દૂર કરવાની વાત એ સૂક્તમાં છે. એ કાંઈ શારીર અવયના વર્ણનનું સુક્ત નથી. વળી, વૈદિક સાહિત્યમાં આયુર્વેદના વગીકરણની કે વ્યવસ્થાની આશા ન જ રખાય. પણું શરીર વિશે છૂટીછૂટી પુષ્કળ માહિતી વેદોમાં મળે છે. કેટલાક શારીર શબ્દ અને કેટલીક માહિતી વેદમાં એવી મળે છે કે જે પાછલા આયુર્વેદિક સાહિત્યમાં નથી. દાખલા તરીકે, મૂત્રપિંડ માટે વૃાો શબ્દ આયુર્વેદમાં મળે છે, જ્યારે વેદમાં મને શબ્દ છે જેનો કેટલાક વિદ્વાનો મૂત્રપિંડ અર્થ કરે છે. એ ઉપરાંત વૈદિક સાહિત્યમાં પુરાતત્ શબ્દ હદયાવરણવાચક કે ક્ષુદ્રાન્નવાચક છે. વનિg શબ્દને કોઠામાં સફરે અર્થ આપે છે; પણ કવિરાજ ગણનાથ સેન એને અર્થ બસ્તિના મૂળમાં રહેલ એક ગાંઠ – Prostrate gland કરે છે. વળી, અથર્વવેદમાં એક નવીના શબ્દ છે, જેને અર્થ કવિરાજ ગણનાથ સેન મૂત્રપિંડમાંથી બસ્તિમાં મૂત્ર લઈ જનારી બે નળીઓ (Ureters) એમ કરે છે. આયુર્વેદિક સાહિત્યમાં મૂત્રવટુ શબ્દ ઉપરના અર્થને સૂચવે છે. પણ નવીના જેવો શબ્દ વેદમાં હોવા છતાં આયુર્વેદિક આચાર્યોએ તે કેમ નહિ વાપર્યો એ જરા આશ્ચર્યકારક લાગે છે. આયુર્વેદની સંહિતાઓ રચાઈ ત્યારે પણ વેદે દુર્બોધ થઈ ગયા એમ માનીએ કે કે તે હાલમાં આપણે ખેટ અર્થ કરીએ છીએ એમ માનીએ; પણુ વસ્તુસ્થિતિ આવી છે. આવી શંકા થવાનું કારણ પણ છે. કવિરાજ ગણનાથ સેન એ. ૨. ૧-૩ ના આધારે નવીના શબ્દનો મૂત્રવહ નળી અર્થ કરે છે, પણ વે. માં અન્યત્ર ગર્ભાધાનના ૧. “પ્રત્યક્ષ શારીરને અંગ્રેજી ઉપદ્દઘાત, પા. ૧. २. यद् आन्त्रेषु गवीन्योर्यबस्तावधि संश्रुतं । gવા તે મૂત્ર મુવ્યતા વહિવત સવમ્. મ. ૧. ૧-૩-૬ ૩. મૂત્રવતિ મિઝપને વાદે . પુ. શ. . ૯
SR No.032692
Book TitleAyurvedno Itihas
Original Sutra AuthorN/A
AuthorDurgashankar Kevalram Shastri
PublisherGujarat Vidya Sabha
Publication Year1966
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy