SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ ] આયુર્વેદને ઈતિહાસ આ રસશાળામાં “હમેશા રસનું શિવલિંગ બનાવી તેનું પૂજન કરવું”.૧ “સેનાનાં પતરાં ત્રણ તલા અને પા તોલા ૯ મેળવી ખટાઈમાં ઘૂંટી શિવલિંગ બનાવવું.” આગળ ચાલતાં એ જ ગ્રન્થકાર કહે છે કે “જે રસવિદ્યા શિવે પોતે કહેલી છે તે રસવિદ્યા અતિશય ગુપ્ત રાખવા યોગ્ય છે અને સાધકને વિધિપૂર્વક આપવી.” આ શબ્દ તથા આચાર્યનાં લક્ષણો તેમ જ શિવલિંગપૂજનનો આ માર્ગમાં જે મહિમા કહ્યો છે તે જોતાં મૂળ મહાયાન બૌદ્ધ તાંત્રિકે પાસેથી શિવ અને શાક્ત તાંત્રિકે પાસે આ વિદ્યા આવેલ છે, અને તેઓએ જ એને ગુપ્ત રાખીને ખેડી છે એ સ્પષ્ટ દેખાય છે. પણ એ તાંત્રિકે વૈદ્યક તરફ વળ્યા એથી આ દેશના વૈદ્યકને મેંટે લાભ થયે. - ઉપર કહેલી સર્વસાધનયુક્ત રસશાળામાં ર. ૨. સ.કાર કહે છે કે ૪ “પૂર્વ દિશામાં રસૌરવની સ્થાપના કરવી. અગ્નિ ખૂણુમાં ભઠ્ઠીઓ રાખવી. ખરલ વગેરે દક્ષિણ દિશામાં રાખવી. મૈત્ય ખૂણામાં શસ્ત્રકર્મને રાખવું. પશ્ચિમમાં જોવા વગેરેનાં સાધને, વાયવ્ય ખૂણામાં સૂકવવાનાં સાધનો અને સિદ્ધ વસ્તુઓને ઈશાન ખૂણામાં રાખવી.” વળી રસકર્મમાં આવશ્યક પદાર્થોની પ્રત્યકારે યાદી આપી છે : “સત્તપાતન કાઝી, અનેક જાતની પાણીની કેડીઓ, બે ધમણો, માટીની ધાતુની તથા પથ્થરની કેડીઓ, ટૂંકણીઓ, ખાંડવાનાં સાધન, વાટવાનાં સાધને, ખરલો, તપાવાય એવી ૧. એજન, અ. ૬, લે. ૧૮. ૨. શિવલિંગ બનાવવાની ક્રિયા કાંઈક રહસ્યવાળી કહી શકાય, છતાં એ રહસ્ય જાણનારા વૈદ્યો છે. ૩. એજન, . ૭૦. ૪. ૨, ૨. સ, અ, ૭, શ્લો. ૩ થી ૧૦
SR No.032692
Book TitleAyurvedno Itihas
Original Sutra AuthorN/A
AuthorDurgashankar Kevalram Shastri
PublisherGujarat Vidya Sabha
Publication Year1966
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy