SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ કવિ (સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ ૪ ૧૩૩) ) પાક્ષિક, ચોમાસી, કે સંવત્સરી પ્રતિક્રમણમાં છીંક આવે ત્યારે તેનો દોષ દૂર કરવાનો વિધિ સૂચના- પાક્ષિક, ચોમાસી કે સાંવત્સરિક પ્રતિક્રમણ કરતાં પાક્ષિક અતિચાર પહેલાં જો છીંક આવે તો પ્રતિક્રમણ નકામું થાય છે અને ફરી પહેલેથી પાછું શરૂ કરવું પડે છે. અતિચાર બોલી લીધા પછીની થતી વિધિમાં જો છીંક આવે તો મોટી શાંતિના કાઉસ્સગ્ન પહેલાં તેના અનિષ્ટ દોષના નિવારણ માટે સકલ સંઘે નીચે મુજબનો વિધિ અવશ્ય કરવો જોઈએ. તે આ પ્રમાણે પ્રથમ ખમાસમણ દઈને ઈરિયાવહી' કરવા. ઈરિયાવહિયં સૂત્ર ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઈરિયાવહિયં પડિક્કમામિ? ઇચ્છે, ઈચ્છામિ પડિક્કમિઉં. ૧ ઇરિયાવહિયાએ, વિરાહણાએ ૨ ગમણાગમણે ૩ પાણક્કમણે, બીયક્કમણે, હરિય%મણે, ઓસા ઉનિંગ પણગદગ મટ્ટી મક્કડા સંતાણા સંકમણે ૪ જે મે જીવા વિરાહિયા ૫ એચિંદિયા, બેઈદિયા, તેઈદિયા, ચઉરિદિયા, પંચિંદિયા ૬ અભિયા, વરિયા, લેસિયા, સંઘાઈયા, સંઘક્રિયા પરિયાવિયા, કિલામિયા, ઉદવિયા, ઠાણાઓ ઠાણે સંકામિયા, જીવિયાઓ વવરોવિયા, તસ્સ મિચ્છામિ દુક્કડ ૭ તસ્સ ઉત્તરીકરણેણં સૂત્ર તસ્ય ઉત્તરીકરણેણં, પાયચ્છિત્તકરણેણં, વિસોહીકરણેણં, વિસલ્લીકરણેણં, પાવાણે કમ્માણ નિશ્થાયણટ્ટાએ ઠામિ કાઉસ્સગ્ગ.૧ * પ્રતિક્રમણમાં ‘નાસિકા ચિંતામણિ સાવધાન'ની ઘોષણા થાય છે પણ નાસિકા ચેતવણી સાવધાન” આ વાક્ય બોલવું જોઈએ.
SR No.032679
Book TitleSamvatsari Pratikraman Saral Vidhi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2001
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy