SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ છે ( સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ ૪ ૩૫ ) માં ગુણવયાણું, ચઉહ સિફખાવયાણું, બારસવિહસ્સ સાવગધમ્મસ્સ, જં ખંડિએ, જં વિરાહિઅં, તસ્સ મિચ્છા મિ દુક્કડં. પૌષધવાળા ભાઈઓ માટે આ સૂત્ર પુરું થયે પૌષધ વ્રતવાળા (પોસાતી) ભાઈઓ હોય તેમાંથી એક જણ ગુરુનો આદેશ મેળવવાપૂર્વક, સહુ બે હાથ જોડીને ગમણાગમણે” સૂત્ર દ્વારા આલોચના કરે. ગમણાગમાણેનો પાઠ નીચે ટીપ્પણમાં આપ્યો છે. ૬ સૂચના–સહુને જીવવું અને સુખ બંને પ્રિય છે. મૃત્યુ કે દુઃખ અપ્રિય છે, માટે અખિલ વિશ્વ (ચૌદરાજ લોક)ના ૮૪ લાખ જીવાયોનિવર્સી જીવો જોડે મૈત્રીભાવ રાખવો જોઈએ. જેથી બીજાની ૧૫. સાધુ મહારાજ હોય તો તેઓ પોતાના સાધુધર્મના અતિચાર બોલે છે. ૧૬. (પ્રશ્ન) ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ગમણાગમણે આલોઉં? (ગુરુ–વડીલ જવાબ આપે) “આલોએહ' પછી બીજાઓ “ઇચ્છે” બોલે, પછી આલોચના કરે. ઇર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાનભંડમાનિફખેવાસમિતિ, પારિષ્ઠાપનિકાસમિતિ, મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ, એ પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, એ અષ્ટ પ્રવચન માતા શ્રાવકતણે ધર્મે સામાયિક પૌષધ લીધે રુડી પેરે પાળી નહીં, જે કાંઈ ખંડના--વિરાધના થઈ હોય તે સવિહુ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. ૧૭. આમ તો જીવોનાં ઉત્પત્તિ સ્થાન અસંખ્ય છે. પરંતુ અહીંયા માત્ર ૮૪ લાખ જ જે કહ્યાં તે સરખા રંગ, ગંધ, સ્વાદ, સ્પર્શવાળી અને સમાન આકારવાળી જેટલી જેટલી યોનિઓ હતી તેને એક એક ગણીને કહ્યાં છે. એ રીતે ગણતાં ત્રિકાળજ્ઞાનીઓએ પોતાના જ્ઞાનથી સમાન વર્ષાદિચતુષ્કવાળી ૮૪ લાખ જ યોનિઓ જોઈ, તેથી ઉપરોક્ત સંખ્યાનો વ્યવહાર ચાલે છે, અને વહેવારમાં “ચોરાસીના ફેરા” શબ્દ પ્રસિદ્ધ છે. જ : * * * * * * * *
SR No.032679
Book TitleSamvatsari Pratikraman Saral Vidhi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2001
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy