SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ લાગતું જાણે તેમણે ક્યારેય ભારત છોડ્યું જ નથી. તેમને આંતરરાષ્ટ્રીય આમંત્રણો પણ મળતાં રહેતાં. કૅનાડા, સિંગાપોર, કેન્યા, યુ.કે., બૅલ્શિયમ, હોંગકોંગ વેગેરેના જૈનો હંમેશાં તેમને ત્યાંનાં દેરાસર-મંદિરોમાં પર્યુષણના આઠ દિવસ દરમિયાન શોભામાં અભિવૃદ્ધિ કરવા બોલાવતા, જેથી તેમની જ્ઞાતિને વધુ ને વધુ ઊર્જા મળી રહે. આ મંદિરોના વાર્ષિક મહોત્સવ તથા સેમિનારોમાં હાજરી આપવા પણ તેમને આમંત્રણ મળતાં. ચિત્રભાનુજી રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય તમામ નિયંત્રણોને ખૂબ જ એકાગ્રતાથી પાર પાડતા. તેઓ માનતા કે આ આમંત્રણો તેમને પોતાનો ધ્યેય પાર પાડવામાં મદદરૂપ થઈ રહ્યાં હતાં. તેમને લાગતું હતું કે દરેક આશીર્વાદની તેમને જરૂર હતી. મહાવીરનો સંદેશો પ્રસરાવવો તે જ તેમનું લક્ષ્ય હોવાથી તેમને સતત પ્રવાસ કરવામાં ક્યારેય કોઈ અડચણ ન આવતી. યુગપુરુષ ૧૫૬ -
SR No.032677
Book TitleYugpurush Chitrabhanuji
Original Sutra AuthorN/A
AuthorDilip V Shah
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2019
Total Pages246
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy