SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) લગ્ન સુખધ” એ બે ખાખતાથી પચાવી શકયા હતા. પોતાના વર્ણની સખ્યા કમી થશે તેની તેમણે દરકાર રાખી નહીં. પરતુ પાતાની સંસ્કૃતિ અને આત્મ શુદ્ધિવાળી પેઢી કાયમ રહે તેવી વ્યવસ્થાને વળગી રહી જરાપણ ટાળેા જણાય તા તેને પ્રાંત બહાર અને પતિત કરાવી અલગ કરી દેતા. મનુોમ લગ્નના કાયદા :ગૃહ્ય સૂત્રમાં અને પ્રતિલામ લગ્નના કાયદા પુરાણા તથા સ્મૃતિઓમાં જોવા મળે છે. આ વિષયમાં વધુ જ્ઞાન મેળવવાની ઇચ્છાવાળાએ સ્વર્ગસ્થ સાક્ષર શ્રી ગોવરધનરામભાઇ માધવરામ ત્રિપાઠી કૃત “હિંદુસ્તાનમાં જુના વખતમાં લગ્ન પદ્ધતિ”નું ઇંગ્રેજી ભાષામાં પુસ્તક લખ્યું છે તે વાંચવાથી ઘણું સારૂં જ્ઞાન મળશે. વાયવ્ય ખૂણાથી બીજી પ્રજાનાં ટોળાં આવવા લાગ્યાં એમ ઉપર જણાવ્યુ છે. તે આવવાનાં કારણે! અનેક હતાં. અહીં પ્રથમ આવેલા આ સુખી અને સમૃદ્ધિવાન્ થયા તે જાણીને બીજી પ્રજા અત્રે આવવાને આકર્ષાઈ. વળી તે સમયની દુનિયામાં ભરતખંડ માટે એવી વાતા ચાલતી કે ત્યાં. ધન-દોલત-સમૃદ્ધિ વિગેરે પુષ્કળ છે, પણ તેને સાચવનાર તથા ભોગવનાર પુરતા .નથી. આથી લાભાઈ મહાન્ સિÉદૂર ભરતખંડ જીતી લેવા આવ્યા. તે સમયે અહીં પજાબમાં રસ રાજા, મગધમાં ચંદ્રગુપ્ત રાજા, અને બ્રહ્મણામાં (ચાણાકય) અને તક્ષશિલા વિદ્યાપીઠના કુલપતિ આદિની યોગ્યતાથી અંજાઇ તેના કારભારી અને ૧ અને સેનાપતિએ આગળ વધવાની ના પાડી, તે હકીકત ઇતિહાસ પ્રસિદ્ધ છે. તક્ષશિલા વિદ્યાપીઠના કુલપતિ માટે એમ કહેવાય છે કે મહાન સિકંદરે તેમને પોતાના મહેમાન બનવા માટે આમત્રણ આપ્યું. તેના જવાબમાં જણાવ્યું કે વિદ્યાપીઠના કુલપતિ વિદ્યાપીઠના કાયદા પ્રમાણે કોઈના મહેમાન બની શકતા નથી. પરંતુ કોઇપણ મહેમાનની મહેમાનગીરિ કરવા તેઓ તૈયાર જ છે. માટે આપે આ વિદ્યાપીઠની મુલાકાતે પધારવું. આવે નિસ્પૃદ્ધિ તથા નીડર્ પરંતુ સપૂર્ણ વિવેકશીલ પ્રત્યુત્તર મળતાં સિકંદરની ઉત્કંઠા વધી. તે સમય પહેલાં માત્ર દશ વર્ષના અરસામાં કૈરા યુનિવર્સિટિના મોટા પુસ્તકાલયના જેણે નાશ કર્યાં હતા તે સિક દર આ વિદ્યાપીઠની ભવ્યતા તથા કુલપતિની આકર્ષક પ્રતિભા જોઇ અંજાઈ ગયા. અને પોતાની સાથે આવેલા ગ્રીક વિદ્વાનાને તક્ષશિલા વિદ્યાપીઠના અનુભવ લેવા એક માસ માટે એ કુલપતિને સોંપ્યા. એ સમયના અધ્યાપક, કુલપતિએ, વિદ્વાન બ્રાહ્મણા આ સ્થિતિ પર હતા. તેથીજ તેઓ રાજાના રાજા એટલે મહારાનની પત્તી એ પહોંચ્યા હતા. આ પછી જે જે જથા આવ્યા તે રાજ્ય સત્તા પ્રાપ્ત કરવા નહીં પરંતુ અહીં વસવાટ કરી આ દેશને પેાતાના વતન તરિકે ગણવા આવતા હતા. તેમને પ્રથમ આવેલા આર્યએ ઉદારતાથી રાખ્યા અને પ્રજામાં ભળી જવા દીધા,
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy