SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ પશ્ચિમ ભારતમાં અંધાધુંધી ૧૭૫ જેલમ નદીના વીશ માઇલના વિશાળ રેતાળપટ ઉપર બન્ને બાજુનાં વિશાળ સૈન્યનું ભયંકર યુદ્ધ તે જ રાત્રિના સમયથી જામ્યું, જે ઘણા સમય સુધી ચાલ્યું. મને ખાજુની લડતી સેનાના ઘણા જ વિશાળ પ્રમાણમાં કચ્ચરઘાણ નીકળી ગયા. હજારાની સંખ્યામાં બહાદુર વીરપુત્રાનું બલિદાન આ યુદ્ધમાં લેવાયું, પંજાબના વીર વફાદાર શીખ સૈન્યના એકેએક લડવૈયાએ યવન સૈન્યના લડવૈયાને સુંદરતાપૂર્વક સામનેા કરી મુક્તિ મેળવી. આ પ્રમાણે લગભગ ત્રણ ભાગનુ શીખ સૈન્ય હણાયા બાદ કપરા સ ંજોગામાં શાહ સીકંદરના હાથે વીર નરેશ પારસ કેન્નુ પકડાયા. શાહ સીકંદરે તક્ષશિલાના કબજો લીધા અને ત્યાં પેાતાનું આધિપત્યપણું જમાવી વિજયને દરમાર ભર્યો. આ ભરદરબારમાં ચેાગ્ય ન્યાય માટે શાહ સન્મુખ વીરનૃપતિ પૌરસને શૃંખલાબદ્ધ ઊભા કરવામાં આવ્યેા. તેના ન્યાય ચૂકવતા શાહે પૂછ્યું કે— “ આ ક્ષત્રિય વીર રાજયો ! તમારી સાથે અમારે કઇ રીતે વર્તવું તે તમે જ જણાવે. પૈારસે પણ નીડરતાથી જવાબ આપ્યા કે—“ જેવી રીતે રાજાએ આવા પ્રસ`ગે એક વીર રાજવી તરીકે વર્તાવ કરે છે તેવી રીતે. ” "" આ વીરતાભર્યા જવાબથી શાહ સીકંદર આશ્ચર્ય ચકિત થયા. વીર પારસના આ નીડર અને વીરતાભર્યો જવાબથી શાહ ઊલટા ખુશી થયે; અને તુરત જ બંધનમુક્ત કરી વીરરાજવી તરીકે તેનું સન્માન કર્યું અને તખ્ત ઉપર પેાતાની બાજુમાં જ બેસાડી, તેને મિત્ર બનાવી પંજાબનું રાજ્ય પાછું સુપ્રત કર્યું; એટલું જ નહિ પણ તેની બહાદુરીના બદલામાં જેલમ, ચીનામ અને રાવી આદિ રાજ્યા કે જે શાહે જીત્યાં હતાં તેને તેને સુખ અનાન્યેા. આ રીતે વીર પારસ સાથે મિત્રાચારી બાંધી શાહ સીકંદર ત્યાંથી આગળ વધ્યેા. આ સમયે ઉત્તર ભારતમાં મગધ, કેશલ, વત્સ અને અવન્તીનાં ચાર સામ્રાજ્યેા પ્રબળ સત્તાધીશ રાજ્યકર્તા તરીકે રાજ્ય કરતાં હતાં. મગધની રાજ્યધાની પર ન ધ્રુવ શના રાજા મહાપદ્મના રાજ્યામલ હતા. કાશલપ્રાન્તની રાજ્યધાની શ્રાવસ્તી અથવા સાવચ્છીમાં હતી; વત્સપ્રાન્તની રાયધાની કાશાંખીમાં હતી અને અવન્તીની રાજ્યધાની ઉજ્જૈન હતી. અંગ, મગધ, કાશી, કાશલ, વૈજન, મત્લ, ચેર્દિ, વત્સ, કુરુ, પાંચાલ, સુરસેન, મત્સ્ય, અસક, અવન્તી, ગાંધાર અને કૅમેજ-આ પ્રમાણે સેાળ પ્રાન્તમાં ભારત વહે ચાયેલા હતા, અને સેાળે પ્રાન્ત ઉપર અલગ અલગ રાજાઓનું આધિપત્ય હતું. આ બધામાં મગધ, કાશલ, વત્સ અને અવન્તીની રાજ્યસત્તા પ્રબળ ગણાતી હતી. શાહ સીકંદર પારસ રાજાને પેાતાના પરમ સહાયક અને આધીન મિત્ર બનાવી આગળ વચ્ચેા, જેના પરિણામે નાનાં નાનાં રાજ્યાએ કાઈપણ જાતની આનાકાની કર્યા વિના સીકંદરની હકુમતને સ્વીકાર કર્યા. કેટલાક વીર રાજાઓએ તેની સત્તા સ્વીકારવામાં
SR No.032628
Book TitleSamrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherKhengarji Hiraji Co
Publication Year1940
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy