SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યોતિષદેવોનું સ્થાન જ્યોતિષ દેવોનું સ્થાન અઢીદ્વીપમાં મેરુની સમભૂતલ પૃથ્વીની ૭૯૦ યોજન ઉપર અને ૯00 યોજન સુધી એટલે કે ૧૧૦યોજન આકાશમાં બધા જ જ્યોતિષવિમાનો રહેલાં છે. આથી જ્યોતિષ દેવોચ્છિલોકમાં ગણાય છે. મેરુ પર્વતથી ૧૧ર૧યોજનદૂર રહીને તેવિમાનો પોતાના પરિવાર સહિત મેરુને પ્રદક્ષિણા આપવાના કારણે અસ્થિર છે અને અઢીઢીપની બહારવિમાનોસ્થિર છે અને સંખ્યામાં અસંખ્યાતાછે. અઢીદ્વિીપના જયોતિષવિમાનો કરતા પ્રમાણમાં અડધા અને શીતોષ્ણ હોય છે. આગળ આગળના દ્વીપ સમુદ્રોમાં તે વિમાનોનું પ્રમાણ વધતું જાય. વિમાનો પોતાની સહજ ગતિથી ચાલે છે. દેવો તેને ચલાવતા નથી છતાં દેખાવ રૂપે આભિયોગિક સેવક દેવો રૂ૫ વિદુર્વીને પૂર્વ તરફ સિંહ રૂપે, દક્ષિણમાં હાથી રૂપે, પશ્ચિમે બળદરૂપે અને ઉત્તરે અશ્વ રૂપે રહે છે. ચારે દિશામાં દેવોની સંખ્યા સરખી રહે છે. ચારે દિશામાં થઈને પ્રત્યેક ચંદ્ર વિમાનને સોળ હજાર, સૂર્યવિમાનને સોળ હજાર, ગ્રહ વિમાનને આઠ હજાર, નક્ષત્ર વિમાનને ચાર હજાર અને તારા વિમાનને બે હજાર દેવો વહન કરે. જબૂદ્વીપમાંધ્રુવતારાચાર હોય છે જેથી દરેકદિશાની ઉત્તર દિશામાં કાયમ રહે. તે સદાસ્થિર રહે છે તેની નજીક વર્તુળ તારા મંડલ મેરુને નહીં પણ ધ્રુવના તારાને જ પ્રદક્ષિણા આપે છે. ધ્રુવ તારાને આધારે જંગલાદિમાં દિશા ભૂલેલા રાત્રે પણ માર્ગને શોધી શકે છે. ધ્રુવ તારા સદાસ્થિર છે. ધ્રુવ તારાની જેમ આપણે પણ સદાસ્થિર થવાનું છે. એક વખત અમેરીકાના પ્રમુખ અબ્રાહમ લિંકન પોતાના મિત્રોની સાથે મુસાફરી કરી રહ્યો હતો અને અચાનક વાતાવરણ ગમગીન બન્યું, પવન ફૂંકાવા લાગ્યો અને ભયનું વાતાવરણ ઊભું થયું. મિત્રો ભયભીત થયા પણ અબ્રાહમ લિંકનને સ્થિર, સ્વસ્થ ચિત્તવાળા જોઈને મિત્રોને નવાઈ લાગી, કારણ પૂછ્યું અબ્રાહમ લિંકને કહ્યું મારી દૃષ્ટિ આકાશમાં ધ્રુવ તારા તરફ હતી તેથી હું સ્થિર હતો, શાંત હતો, તમારી દષ્ટિ કરતા વાતાવરણ તરફ હતી તેથી તમે જીવવિચાર || ર૧૮
SR No.032623
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherJhalawad Jain S M P Tapagaccha Sangh Trust
Publication Year2020
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy