SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ચઉરિજિયસુધીના બધા જીવો વિકલેન્દ્રિય કહેવાય. તે બધા મૂર્છાિમ જીવોને વિશિષ્ટ જ્ઞાનનો અભાવ છે અર્થાત બધામિથ્યાદષ્ટિ છે, અર્થાત્ આત્મહિતનું કાર્ય તેઓ કરી શકતા નથી પણ આત્માનું અહિત કરવાની જ પ્રવૃત્તિ તેમની ચાલુ હોય છે. (આ વિકલેજિયજીવો ઉપદ્રવ કરવાના સ્વભાવવાળા હોવાથી તેમની ઉત્પતિ દેવલોકમાં, યુગલિક ક્ષેત્રમાં કે યુગલિક કાળમાં થતી નથી. જ્યારે પાંચ ભરત પાંચ ઐરાવતક્ષેત્રમાં યુગલિકકાળ હોય ત્યારે પણ નહોય. કારણ કે દેવલોક અને યુગલિક ક્ષેત્ર તે ભોગ ભૂમિ છે, માટે તે જીવો વધારે દયાને પાત્ર છે તેમાં વિકસેન્દ્રિય જીવો બીજા જીવોને ત્રાસ–પીડા ઉપદ્રવ કરવાનું કાર્ય કરતા હોય છે એટલે વિકસેન્દ્રિય જીવો એકેન્દ્રિય જીવો કરતાં પણ અતિ તુચ્છ જીવો છે. વિકલેન્દ્રિયમાંથી મનુષ્ય ભવમાં આવેલા જીવો સાધુપણું પામી શકે પણ કેવલજ્ઞાનન પામી શકે. જ્યારે સ્થાવરકા માં-બાદર વનસ્પતિ, બાદર પૃથ્વીકાય અને બાદર અપૂકાયમાંથી સીધા મનુષ્ય ભવમાં આવેલા જીવો કેવલજ્ઞાન પામી શકે. a આત્માને પોતાની સત્તાગત શત સિદ્ધાવસ્થાનું સહજ ભાન ન થવાના ત્રણ મુખ્ય કારણો : આત્માસત્તાએ સિદ્ધસ્વરૂપી હોવા છતાં પોતે સિદ્ધ સ્વરૂપ છે તેવો પોતાને સતત ઉપયોગ રહેતો નથી. તેનું મુખ્ય કારણ સ્થાવર નામકર્મ અને રસ નામ કર્મનો ઉદય એની સાથે મિથ્યાત્વનો પણ ઉદય ભેગો હોય. માત્ર સન્ની પંચેન્દ્રિય સિવાયના બીજા પર્યાપ્ત ભવમાં તોનિયમામિથ્યાત્વનો ઉદય હોય છે એટલે આત્માને પોતાની સત્ય અવસ્થાનું ભાન ન આવે, કદાચ ભાન થાય તો પણ સ્વીકારે નહીં–રુચિ ન થાય. . આત્માને રુચિ સહિત શહઅવસ્થાના ભાગરૂપ સમકિત સંક્ષી પરેજિયમાં પણ દુર્લભ છે. અલ્પજીવોને સંક્ષી પંચેન્દ્રિપણામાં સમક્તિની પ્રાપ્તિ થાય અને તેમાં પણ શાયિક સમક્તિ, અતિ નિર્મળ અને અતિ દુર્લભ છે. લાયોપથમિક જીવવિચાર / ૧ર૦ '
SR No.032623
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherJhalawad Jain S M P Tapagaccha Sangh Trust
Publication Year2020
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy