SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ કાલય માપવામાં આવી છે માટે તેનો ત્યાગ અવશ્ય કરવો. ખાવું નહી તેમ ખવડાવવું પણ ન જોઈએ. તેમજ વાપરવાના ત્યાગ સાથે વાહનાદિ વગેરે ચલાવતાં બટેટાદિ કચડાઈન જાય તેનો પણ ખાસ જતા આ ઉપયોગ રાખવો જોઈએ. અંકુર : ફણગા અવ્યકત પાંદડાદિ અવયવરૂપ અવસ્થા, અર્થાતુ પાંદડાથી રહિત અવસ્થા. પાણીમાં કઠોળ પલાળ વામાં આવે ત્યારે જો વધારે વખત પાણીમાં પલળે તો તેમાં ફણગા ફૂટવાની પૂરી સંભાવના છે. ફણગા ફૂટે તે અનંતકાય છે વો(બીનું ફૂટવું તે). * કિસલય કૂંપળ વનસ્પતિ ઉગતી વખતે Pજે નવા કૂણા પાંદડા તરીકે પ્રગટ થાય છે. सव्वोवि किसलओ खलु उग्गममाणो अणंतओ भणिओ । उदगच्छन् प्रथमाकुर, सर्व साधारणो भवेत् । (લોક પ્રકાશ) બીજનો જીવ અથવા અન્ય જીવ મૂળપણે ઉત્પન્ન થઈ તેની બીજ અવસ્થા જમીન ફાડવા રૂપ અંકુર તરીકે ઉત્પન્ન થઈ તે પછી કિસલય (પાંદડારૂપ) અવસ્થા થાય ત્યારે તેમાંઅનેતા જીવો નિયમાહોય. આથી ઊગતી વખતે પાંદડારૂપ જે કિસલય અવસ્થા છે તે અનંતકાય સ્વરૂપ છે પછી તે પ્રત્યેક વનસ્પતિ હોય તો પ્રત્યેક રૂપે વિકાસ પામે અને અનંતકાય હોય તો અનંતકાયરૂપેથાય, માટે જ શ્રાવકે ખેતીવાડી, બાગ, બગીચા, ફાર્મહાઉસ કરવા ન જોઈએ. ચાતુર્માસમાં પ્રથમ જ્યારે વરસાદ થાય ત્યારે જમીનમાં આવા કિસલયોની પુષ્કળ ઉત્પતિ થાય. આથી હરવા-ફરવામાં મહાદોષ સંભવે તેથી વરસાદ પહેલાં જ સાધુઓને પ્રવેશ કરવાનું વિધાન છે. જીવવિચાર // ૧૦૨
SR No.032623
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherJhalawad Jain S M P Tapagaccha Sangh Trust
Publication Year2020
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy