SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તતત્ત્વતા : હૃદયથી મળે. - વચન-કાયાના આનંદમાં આપણે ઝુમવું છે. વચન-કાયાની રતિથી દૂર રહેવું છે, જેથી તુચ્છ બાબતો ગૌણ બની જાય. - નિદ્રામાં અજ્ઞાન, જાગૃતિમાં વિચાર - આના સિવાય મનને કાંઈ આવડતું નથી. सुत्ता अमुणी, मुणिणो सया जागरंति । નિદ્રા, વિચાર ન હોય ત્યારે જ પરમ જાગૃતિ આવી શકે. | ગુજિએફે સાધકને ઘડીયાળ આપીને કહ્યું : “સેકન્ડ કાંટાને સતત બે મિનિટ સુધી અપલક જો. બે મિનિટ પછી - સેકંડ કાંટાના જોનારને તું જો.” દશ્યોમાં અટવાઈ ગયેલા આપણે દષ્ટાને ભૂલી ગયા છીએ. - આપણે જ્ઞાનને લઈને શેયમાં ડૂબીને રાગી-દ્વેષી બનીએ છીએ. જ્ઞાની દયથી-શૈયથી અળગો રહે છે. આ જ તફાવત ગમા-અણગમા વધારતું રહે તે સાચું જ્ઞાન નથી. માત્ર જોવાતું હોય તે મુક્તિ છે. દશ્યોમાં અટવાઈ જવું તે સંસાર છે. • જિન-ગુણદર્શનથી આત્મ-ગુણદર્શન, સમવસરણ ધ્યાન વખતે જોઈશું. - મનના સ્તર પરથી મનને આજ્ઞા કરો તો મન ક્યાંથી માને ? ગુલામ ગુલામનું ન માને, શેઠનું માને. મનથી ઉપર ઊઠીને આત્માના સ્તરથી આજ્ઞા કરો તો મન કેમ ન માને ? ફ્રોઈડ મહા મનોવૈજ્ઞાનિક. ક્રોઈડ પત્ની સાથે એક વખત બાગના બાંકડામાં બેઠેલો. પત્ની : બાબો ખોવાઈ ગયો. ક્યાં ગયો ? મન પણ બાબો છે. મમ્મીને બાળકનો ખ્યાલ હોય. * * * * * * * * ૩૧
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy