SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ જિમ જિમ અરિહા સેવીયે રે, તિમ તિમ પ્રગટે જ્ઞાન સલુણા.’ . પં. વીરવિજયજી. આ તો ભગવાન કે ગુરુના દર્શન વિના પચ્ચક્ખાણ પારી શકાય તેમ નથી, માટે ભગવાનના દર્શન કરીએ છીએ અને ગુરુના વંદન કરીએ છીએ, એ નિયમ ન હોત તો આપણે દર્શન કરત કે કેમ એ પણ સવાલ છે. ક્રોધની જેમ વિષયની લગની પણ આગ છે. ક્રોધ દેખાય છે, વિષયની આગ દેખાતી નથી એટલો ફરક. વિષયની આગ વીજળીના શોર્ટ જેવી છે. દેખાય નહિ પણ અંદરથી બાળી નાખે. ભગવાનના ગુણોના ધ્યાનથી જ વિષયની આગ શમે. ‘વિષય-લગન કી અગિન બુઝાવત, તુમ ગુણ અનુભવ ધારા; ભઈ મગનતા તુમ ગુણ-૨સકી, કુણ કંચન કુણ દારા ?' પૂ. ઉપા. યશોવિજયજી. ભગવાન સ્વયં કહે છે : मत्तः अन्ये, मदर्थाश्च મુળાઃ । ગુણો મારાથી અન્ય છે અને મારાથી અનન્ય પણ છે. હું જ છું સાધ્ય જેનો એવા ગુણો છે. ગુણવૃત્તિથી અલગ ઐકાન્તિક કોઈ મારી પ્રવૃત્તિ નથી. ગુણ, લક્ષણ આદિથી ભિન્ન છે. દા.ત. ગુણનું લક્ષણ જુદું છે. મારું (આત્માનું) લક્ષણ જુદું છે. સંખ્યા : દ્રવ્ય એક છે. ગુણો અનેક છે. ફળભેદ : દ્રવ્યનું કાર્ય અલગ છે. ગુણોનું કાર્ય અલગ છે. નામ : દ્રવ્યનું નામ જુદું છે. ગુણોના નામ જુદા છે. આ બધી દૃષ્ટિએ ગુણો મારાથી જુદા છે. પણ બીજી દૃષ્ટિએ ગુણો અને હું એક પણ છીએ. કારણ કે ગુણોનો પણ આખરે સાધ્ય હું છું. ગુણો, ગુણી વિના ક્યાંય રહી શકતા નથી. કહે, કલાપૂર્ણસૂરિ-૪ ** 303
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy