SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ જીવાસ્તિકાયમાં એક જીવનો એક પ્રદેશ પણ ઓછો હોય તો તે જીવાસ્તિકાય ન જ કહેવાય. એમાં આપણે પણ આવી જ ગયાને ? આ લક્ષણોથી કોઈ જડ બહાર જાય ? પૂ. હેમચન્દ્રસાગરસૂરિજી : આપણે પણ ક્યાં ઉલ્લંઘન કરીએ છીએ ? પૂજ્યશ્રી ઃ ભગવાને જીવો સાથે મૈત્રી કરવાનું કહ્યું, આપણે નથી કરતા, આ ઉલ્લંઘન ન કહેવાય ? પૂ. હેમચન્દ્રસાગરસૂરિજી : આપે એંગલ બદલ્યો. - પૂજ્યશ્રી ઃ બદલવો જ પડેને ? એ રીતે લઈએ તો જ સાધનામાં ગતિ આવે. ભગવાનના મનોવર્ગણાના પુદ્ગલો ઠેઠ અનુત્તર વિમાન સુધી પહોંચી શકતા હોય તો આપણા સુધી ન પહોંચે, એવું કોણે કહ્યું ? બીજા માટે શુભ ભાવ ભાવો. અવશ્ય અસર થશે જ. માત્ર બોલીને જ બીજો સુધરે છે, એવું નથી, મનથી પણ સુધરી શકે છે, એ સમજવું રહ્યું. | સરોવર પાસે જતાં શીતલતાનો અનુભવ થાય, તેમ સંતો પાસે શીતલતાનો અનુભવ થાય છે, તેનું કારણ એમના હૃદયનો શુભ ભાવ જ છે. આ પુસ્તક વાંચતાં ચિત્ત પ્રસન્ન બન્યું છે. મને જે નાની-નાની બાબતમાં ઓછું આવી જતું હતું. અભિમાન આદિના કારણે બેલેટ-ગો’ કરી શકતી ન હતી. એવા મારા અંતરંગ દોષો ઓછા થતા દેખાય છે. - સા. હંસગુણાશ્રી * * * * * * * * * * * * * ૨૮૩
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy