SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ચારે બાજુથી ભય લાગતો હોય ત્યારે જ સાચા અર્થમાં શરણું સ્વીકારવાનું મન થાય. મને પોતાને ગૃહસ્થપણામાં બે-ચાર વર્ષ સુધી આવો અનુભવ થયેલો. સંસારમાં રહું ખરો, પણ વેદના પારાવાર ! છકાયની હિંસા ક્યાં સુધી કરવાની ? મનમાં સતત વેદના રહેતી ! આવા ભાવ સાથે દીક્ષા લીધી હોય તો અહીં આવ્યા પછી છકાય પ્રત્યે કેટલો પ્રેમ ઊભરાય ? निवासः शारीरादिदुःखानाम् । ૦ આ સંસાર તો શારીરિક આદિ દુઃખોનો નિવાસ મદ્રાસમાં હતા ત્યારે એવા કેટલાય કેસો જોવા મળતા, જે જોતાં હૃદય કમકમી ઊઠે. આઠ વર્ષના બાળકને કિડની ફેલ ! એક વર્ષના બાળકના હૃદયનું વાલ્વ કામ ન કરે ! કોઈ બાળકને પોલિયો ! આપણે બધા રોગ લઈને જ જન્મતા હોઈએ છીએ. રોગ નથી આવતો એ મહાપુણ્યોદય માનજો. અયોગ્ય જીવ જરા સમજદાર થાય એટલે માબાપને છોડી દે. અયોગ્ય વિદ્વાન થાય એટલે ગુરુને છોડી દે. અયોગ્ય પૂજનીય થાય એટલે ભગવાનને છોડતાં પણ વાર કેટલી ? રોહગુપ્ત, જમાલિ વગેરેએ આવું જ કરેલું ને ? જે ભગવાને દીક્ષા આપી, ૧૧ અંગ ભણાવ્યા, એ ભગવાનનું એક વાક્ય માનતાં શું તકલીફ હતી ? પણ મિથ્યાત્વ - યુક્ત અભિમાન અંદર બેઠો હોય ને ? એ એમ થવા ન દે. મારા પરમ ઉપકારી પૂ. રામચન્દ્રસૂરિજીના પ્રવચનોથી જ મને સંસારથી વૈરાગ્ય થયેલો. તેઓ આવો વૈરાગ્ય પમાડવામાં એક્કા હતા. રાજનાંદગાંવમાં પૂ. રૂપવિજયજી પાસે એમના જૈન પ્રવચનો આવતા. ગુજરાતી ના કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * ૨૨૯
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy