SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવના હતી તેટલી ભાવના આપણને આત્મા માટે પણ નથી. આપણને આપણી ચિંતા છે, તેથી ભગવાનને વધારે છે, એવો વિચાર કદી આવે છે ? જુગારની લતે ચડી ગયેલા પુત્રને જોઈને પિતાને દુઃખ થાય તે કરતાં કઈ ગણું દુઃખ ભગવાનને છે, તેવો કદી વિચાર આવે છે ? (૮) તીર્થક પિતૃવલય : પિતા-પુત્ર (૨૪ તીર્થંકર) પરસ્પર પ્રેમપૂર્વક અવલોકન કરી રહ્યા છે, તેમ જોવું. (૯) તીર્થક્ર નામાક્ષર વલય : ત્રણેય ચોવીશીના નામોના અક્ષરોનું વલય. (૧૦) વિધાદેવી વલય : ૧૬ રોહિણી આદિ વિદ્યાદેવીઓ. (૧૧) ૨૮ નક્ષત્રો. (૧૨) ૮૮ ગ્રહો. (૧૩) ૫૬ દિક્યારી (૧૪) ૬૪ ઈન્દ્રો. (૧૫) ૨૪ યક્ષિણીઓ. (૧૬) ૨૪ યક્ષો. (૧૭) સ્થાપના - ચેત્યવલય : શાશ્વત - અશાશ્વત બધા જ ચેત્યો. નામની જેમ મૂર્તિનો પણ મહિમા છે જ. એમાં આબેહૂબ ભગવાનનું સ્વરૂપ દેખાય. પૂ. ધુરંધરવિજયજી મ. : પહેલા દેવ-દેવી વગેરેના વલયો... ત્યારપછી “ચૈત્યવલય.” આનું કારણ શું ? પૂજ્યશ્રી : આ દેવ-દેવી પણ સમ્યગ્દષ્ટિ છે, જીવંત છે. ભક્તોનો નંબર પહેલા હોય. ભક્તો નહિ હોય તો ચેત્યોમાં કોણ જશે ? ભક્તો વિના ચેત્ય જામે નહિ. ચૈત્યો વિના ભક્તો જામે નહિ. બન્ને પરસ્પર સાપેક્ષ છે. - નવસ્મરણમાં આ બધું છે જ. જગચિંતામણિમાં પણ ઘણું બધું સંક્ષેપમાં છે. દેવવંદનની ક્રિયામાં પણ કેટલું બધું છે? દૈનિક ક્રિયા પણ ધ્યાન માટે કેટલી ઉપયોગી છે ? એ ૧૬૮ * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy