SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ છુટી જાય, અનાલંબન બાકી હોય તે બન્ને વચ્ચેનો સેતુ નાદ જ્યાં સુધી અક્ષર કે પદમાં જ મન હોય ત્યાં સુધી સવિકલ્પ ધ્યાન હોય છે. ત્યાર પછી અક્ષર-પદ છુટી જઈ માત્ર ધ્વનિ રહેતાં નાદ પ્રગટે છે. આ નાદ માત્ર સાધક જ સાંભળી શકે, પાસે રહેલો બીજો પણ ન સાંભળી શકે. સાધક કાંઈ સંગીત સાંભળવા નીકળ્યો નથી, એ તો પ્રભુને મળવા નીકળ્યો છે. વચ્ચે થતું નાદ-શ્રવણ તો માત્ર માઈલસ્ટોન છે. સાધકે ત્યાં રોકાવાનું નથી. (૧૩) તારા, (૧૪) પરમતારા : મનની જેમ કાયા અને વચનની સ્થિરતા પણ જરૂરી છે. માત્ર માનસિક ધ્યાન નથી, વાચિક, કાયિક ધ્યાન પણ છે. તાવ સ્વયં ટાઈoi નો જ્ઞાન' આ પાઠ આ જ વાત સૂચવે છે. દ્રવ્યથી તારા, વર-વધૂની આંખોનું મિલન (તારા મેલક) તે. ભાવથી કાયોત્સર્ગમાં નિશ્ચલ દષ્ટિ. પૂર્વના ધ્યાનોમાંથી પસાર થઈને આવેલાની દૃષ્ટિ નિશ્ચલ બનેલી હોય છે. કોઈપણ ભગવાન છદ્મસ્થ અવસ્થામાં કાયોત્સર્ગમાં જ રહે છે. ધ્યાન એટલે જ્ઞાનની સૂક્ષ્મતા - તીક્ષ્ણતા છે. એટલે કે ચારિત્ર અને ધ્યાન એક જ છે. જ્ઞાનની તીક્ષ્ણતા ચરણ તેહ.” પૂ. ધુરંધરવિજયજી મ. : કાયોત્સર્ગમાં નિશ્ચલ દષ્ટિ ક્યાં ? બહાર કે અંદર ? પૂજ્યશ્રી : ચૈત્યવંદન વખતે પ્રતિમામાં, ગુરુ સામે હોય ત્યારે ત્યાં અનિમેષ દૃષ્ટિ રાખવી. કાયોત્સર્ગ જિનમુદ્રાએ વ્યવસ્થિત થાય ત્યારે દૃષ્ટિ નિશ્ચલ થતાં મનની નિશ્ચલતા આવે છે. દ્રષ્ટિ અને મન, બન્નેની * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ ૧૪૬ * * * * * * * * * * * *
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy