SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ આપણી નાની દીવીને કેવળજ્ઞાનની મહાજ્યોતિ સાથે જોડી દઈએ તો કામ થઈ જાય. ક્ષયોપશમભાવના ગુણો ક્ષાયિક ગુણોમાં જોડી દઈએ તો કામ થઈ જાય. સિદ્ધો આપણી ઉપર સદા કાળ માટે છે. વિહરમાન ભગવાન સદા કાળ માટે છે. માત્ર આપણે અનુસંધાન કરવાની જરૂર છે. એક આકાશ પ્રદેશમાં અનંત આત્મપ્રદેશો હોય છે, એમ ભગવતીમાં હમણા આવ્યું. આમાં પણ ધ્યાનના રહસ્યો છે. સિદ્ધશિલામાં સિદ્ધો છે તેમ સમગ્ર બ્રહ્માંડમાં પણ અનંતા જીવો છે. નિશ્ચયથી એ જીવો પણ સિદ્ધસમાન જ છે. આતમ સર્વ સમાન, નિધાન મહાસુખ કંદ; સિદ્ધતણા સાધર્મિક, સત્તાએ ગુણ વૃંદ. પૂ. દેવચન્દ્રજી. અત્યારે જ્ઞાન છે, પણ સંવેદન નથી. અત્યારે જ્ઞાન લઈએ છીએ તે આપવા માટે, પોતાના માટે નહિ. આવો ઉદ્દેશ હોવાથી જ આ લાગુ પડતું નથી. આથી જ આ સિદ્ધાંતોને સાંભળવાના અધિકારી સમ્યગ્દષ્ટિ છે. આપણી મુશ્કેલી એ છે કે સીધા જ સાતમે (?) ગુણઠાણે આવી ગયા છીએ. અભિમાનનો પારો એકદમ ઊંચે ચડી ગયો. આથી જ સાધના મુશ્કેલ બની છે. સમતા વિના કોઈ ધ્યાન લાગુ નહિ પડે. સામાયિક માટે ચઉવિસત્થો આદિ જોઈએ. આવી વાતો એટલે કરવી પડે છે કે તમે આ બધું ભૂલી ન જાવ. જ્ઞાનજ્યોતિ વધે તેમ ગંભીરતા વધે. નહિ તો સમજવું : અજ્ઞાન જ વધ્યું છે. જેનાથી માન વધે તે જ્ઞાન કેમ કહેવાય ? આત્મ-સ્વભાવની રમણતા ન હોય કે રાગ-દ્વેષની મંદતા ન હોય તે જ્ઞાન કે દર્શન માનવા યશોવિજયજી તૈયાર નથી. માત્ર ત્યાં માહિતી હોય, જ્ઞાનની ભ્રમણા હોય, સાચું જ્ઞાન ન હોય. આત્માની અનુભૂતિ થયા પછી કર્મનો ડર નથી રહેતો. ઓળખાયા પછી બકરાનો કે ભરવાડનો ભય નથી સિંહત્વ રહેતો. કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * ૧૨૭
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy