SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ તિમ તિમ જિનશાસનનો વયરી, જો નવિ નિશ્ચય ધરીયો...” પૂ. યશોવિજયજીની આ ટકોર કેટલી વેધક છે ? અમે પણ એમાં આવી ગયા. * જે સૈનિક સ્વરક્ષા ન કરી શકે તે દેશરક્ષા શી રીતે કરી શકશે ? એવો સૈનિક સેનાપતિ બની જાય તો દેશને રડવાનો અવસર આવે. શિષ્ય બન્યા વિનાના ગુરુ શાસન માટે આવા જ નુકશાનકર્તા બને. * તમે ગમે તેટલા ન્યાય - વ્યાકરણાદિ ભણો, પણ જે આચાર્ય વગેરે દસેયની વેયાવચ્ચમાં ઉપેક્ષા કરો તો ભણવાનો કોઈ અર્થ નથી. વિદ્વાન અને વક્તા બન્યા પછી વેયાવચ્ચ ભૂલવાની નથી. * આપણા વડીલોએ આપણા સમુદાયની કેવી છાપ ઊભી કરી છે ? તે તો જુઓ. આજે જ રાજકોટથી વિનંતી આવી છે : “અમને આપના જ સમુદાયના સાધ્વીજીઓ જોઈએ...” કોણ તૈયાર થશે ? અમે ભચાઉ રહેવા આવેલા, પણ પૂજ્યશ્રીની ઇચ્છા જાણીને અમે ગાંધીધામ ગયેલા. હું કોઈને ઓર્ડર નહિ કરું ! મારે પણ “ઈચ્છાકાર' સમાચારી સાચવવાની હોય. મારે તમારા હૃદયમાં ઈચ્છા કરાવવાની હોય, પોલીસની જેમ હુકમ કરવાનો ન હોય. પૂ. કનકસૂરિજીનો આ જમાનો નથી રહ્યો. એમને ગયે ૩૭ વર્ષ થયા. દર દસ વર્ષે જમાનો બદલાતો જાય છે. ખૂબ જ ઝડપથી બધું બદલાઈ રહ્યું છે. આવડી ઊંમરમાં પણ ત્રણ પાઠ પૂ. કનકસૂરિજી સ્વયં આપતા, છતાં એમની ઇચ્છાને માન આપીને હું ગાંધીધામ ગયો. આખરે આશીર્વાદ કામ લાગે. * જેની પાસે દીક્ષા લીધી, જેને ગુરુ તરીકે સ્વીકાર્યા, એના અવર્ણવાદ બોલવા એના જેવી નિર્ગુણતા બીજી એકેય નથી. સુવિનીત ૬૦ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy