SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ * ભગવાનની ગેરહાજરીમાં ગુરુ જ ભગવાન રૂપ છે, એમ લાગવું જોઈએ. માટે જ “ઈચ્છકારી ભગવન્!' વગેરેમાં ગુરુ માટે “ભગવાન” શબ્દ પ્રયોજ્યો છે. આપણે એને પૂજ્યવાચી શબ્દ ગણીને અવગણી દઈએ છીએ. પણ ગુરુમાં ભગવબુદ્ધિ જગાડવા માટે આ છે, એવું આપણે કદી વિચારતા નથી. * આપણી ઉદ્ધતાઈનો આપણને કદી ખ્યાલ આવતો નથી. એ તો ગુરુ જ બતાવી શકે. મોટા ડૉક્ટર પણ પોતાના દર્દની દવા પોતે જ ન કરે, બીજા પાસેથી જ કરાવે. આજે પણ હું આલોચના બીજા આચાર્ય ભગવંત પાસેથી લઉં છું. * આજે ધ્યાનના નામે ઘણી શિબિરો થાય છે, પણ તે સફળ ત્યારે જ થશે, જ્યારે ભગવાન કેન્દ્ર સ્થાને હશે ! * બાળકને મા પર હોય છે તેમ ભક્તને ભગવાન પર વિશ્વાસ હોય છે : ભગવાન મારી પાસે જ છે. * આજે પણ હું બોલવા બેસું ત્યારે કાંઈ નક્કી નથી હોતું : શું બોલીશ? ભગવાન બોલાવે તેમ બોલતો રહું છું, એવો અનુભવ ઘણીવાર થાય છે. “પ્રભુ-પદ વળગ્યા તે રહ્યા તાજા...” દેશો તો તુમહી ભલું...' વગેરે મારી પ્રિય પંક્તિઓ છે. ઠોઠ રહેવું સારું, પણ ભગવાન સિવાય બીજે ક્યાંયથી મારે કશું જ જોઇતું નથી, આવો આજે પણ મારો દઢ વિશ્વાસ છે. * ત્રણ ગારવમાં ઋદ્ધિગારવ સૌથી ખતરનાક છે. કારણ કે એ મિથ્યાત્વજન્ય છે. એ એવી ઈચ્છા જન્માવે છે : “હું ગુરુથી પણ આગળ જાઉં....!' આપણને મળેલી લબ્ધિ-સિદ્ધિઓનો પ્રયોગ પોતાની મહત્ત્વાકાંક્ષા સંતોષવા કરીએ તો સમજવું : અંદર ઊંડે - ઊંડે મિથ્યાત્વ છે. મિથ્યાત્વ હોય ત્યાં અહંકાર, માયા-કપટ વગેરે અનેક દોષો હોય. કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ પ૦
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy