SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ અયોગ્યને સૂત્રાદિ નહિ આપતા. યોગિકુળમાં જન્મેલા જ આના અધિકારી છે. અતિસારના રોગીને દૂધપાક ન અપાય. * અહીં વિદ્યા કઈ લેવી ? અવિદ્યાને દૂર કરે તે. અનિત્ય, અપવિત્ર, જડ એવા શરીરને નિત્ય, પવિત્ર, ચેતનરૂપ માનવું તે અવિદ્યા છે. * આત્મગુણોનો નાશ એટલે આત્માનો નાશ. દેહમાં ગાઢ અભેદબુદ્ધિના કારણે આપણને આત્મા કે આત્માના ગુણો કદી યાદ આવતા જ નથી. * પોતાનું નામ આગળ કરતો, ગુરુને પાછળ રાખી દેતો અવિનીત ઋષિઘાતકના લોકમાં [દુર્ગતિમાં] જાય, એમ અહીં જણાવ્યું છે. ગુરુ એટલે આચાર્ય જ નહિ, દીક્ષા શિક્ષા વગેરે આપનારા પણ ગુરુ છે. ગુરુ વિના મને દીક્ષા કોણ આપત ? એની સામે મારાથી શી રીતે બોલાય ? આવા વિચારો સતત સામે રહે તો યોગ્ય શિષ્ય ગુરુની સામે પડી જ ન શકે. આત્માનો ઉદ્ધાર કરવા માંગતા હો [ખરેખર તો એ માટે જ સંયમ જીવન સ્વીકાર્યું છે ને ?] તો કદી ગુરુની અવહેલના નહિ કરતા. ગોશાળાએ ભગવાન પર તેજોલેશ્યા છોડી તેના કારણે કેટલાય ભવો સુધી તે તેજલેશ્યા આદિથી મરશે. ઘણા કહે છે : મારું મન ભણવામાં લાગતું નથી. પણ ક્યાંથી લાગે ? ગુરુના આશીર્વાદ વિના ચિત્ત સંક્લિષ્ટ જ રહેવાનું ! ઘણા તો એવા અવિનીત અને ઉદ્ધત હોય કે ગુરુના દોષો મારી પાસે પણ પ્રકાશે. આવા તો ઘેર જઈ શ્રાવકપણે પાળે તેમાં તેમનું કલ્યાણ છે. * વિદ્યા પણ ભાગ્યશાળીને પામીને જ બળવાન બને. વિનયી જ ભાગ્યશાળી ગણાય. અહીં તો વિનય એ જ મોટું ધન ! એ જેની ૩૬ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy