SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ परसक्खिआ विसोही, कायव्वा भावसल्लस्स ॥१७१॥ કુશળ પણ વૈદ પોતાના રોગનો પોતે જ ઇલાજ ન કરે, તેમ સાધુ પણ પોતે ઇલાજ ન કરે. ગુરુ તો માતા-પિતા છે. એની પાસે કાંઈ પણ જણાવવામાં શરમ શાની ? કોઈ યોદ્ધો જો પોતાનું સંપૂર્ણ શલ્ય બહાદુરીના અભિમાનથી ન જણાવે તો એ શલ્યરહિત બની શકે નહિ, તેમ અભિમાની વ્યક્તિ ગુરુને સંપૂર્ણ ન જણાવે તો શલ્યમુક્ત બની શકે નહિ. શલ્યરહિત મુનિ મૃત્યુ-સમયે બેબાકળો નથી બનતો. શલ્ય ન કાઢવામાં આવે તો મૃત્યુ સમયે તે કાંટાની જેમ ખટકે છે, મન સમાધિમાં નથી લાગતું. તમારી વાત જો તમે કોઈ કારણસર ગુરુને ન કહી શકતા હો તો ભગવાનને કહો, વનદેવતાને કહોએ સીમંધરસ્વામીને પહોંચાડે તેમ પ્રાર્થો, પણ મનમાં રાખીને સશલ્ય જીવન ન જીવો. સશલ્યતા તમને શાંતિ નહિ આપે. જો શલ્ય રહી જશે તો સગતિ નહિ થાય. દેવગતિ મળશે પણ વ્યંતર કે ભવનપતિમાં જવું પડશે. હમણાં જ ભગવતીમાં જમાલિ પ્રકરણમાં આવ્યું ઃ દેવ, ગુરુ, સંઘ, કુલ, ગણ વગેરેની આશાતના કરનારો કિલ્બષક દેવ બને દોરા-ધાગા કરનારા સાધુઓને આભિયોગિક નિોકર] દેવ બનવું પડે છે. * હમણા મેં ૧૦ માળાની વાત કરેલી. ગૃહસ્થોને આપણે પ્રેરણા આપીએ તો આપણે કશું નહિ કરવાનું? પૂ. પં. ભદ્રકરવિજયજી મહારાજે બીજાને પ્રેરણા આપી તે પહેલા સ્વયં જીવનમાં નવકાર વણ્યો. [ગયો નહિ, પણ વણ્યો] ભાવિત બનાવ્યો. કેટલાય ક્રોડ નવકાર ગણ્યા હશે... એ ભગવાન જાણે. પછી તો નવકાર પર એટલું સૂક્ષ્મ ચિંતન કરતા કે એક પ૨૮ જ કહ્યું, લાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy