SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનો આપણા પર ઉપકાર છે એ ઉપકારનું ઋણ ચૂકવવાને બદલે આપણે અપકાર કરતા રહીએ એ કેવું ? સંસારમાં રહીશું ત્યાં સુધી પર-પીડન અવશ્ય છે. મોક્ષમાં જઈએ પછી જ સંપૂર્ણ પર-પીડન બંધ થાય. જેટલો મોક્ષમાં વિલંબ તેટલો બીજા જીવોને વધુ ત્રાસ..! અનંતા નિગોદના જીવો રાહ જોઇને બેઠા છે : જગા ખાલી કરો. અમારે તમારા સ્થાને આવી સાધના કરીને મોક્ષે જવું છે. આપણે મોક્ષે જઈશું તો જ કોઇક નિગોદમાંથી બહાર નીકળશે ને ? જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી જીવન પરોપકાર-પરાયણ રહેવું જોઈએ. પરોપકાર એ જ સાચા અર્થમાં સ્વોપકાર છે. સ્વોપકાર સ્વિાર્થ કરનારો સાચા અર્થમાં સ્વોપકાર પણ કરી જ નથી શકતો. સ્વોપકારી [સ્વાર્થી] ખરેખર તો સ્વ-અપકારી જ છે. આપણને જીવાડવા વાયુ, પાણી વગેરેના અસંખ્ય જીવો સતત પોતાનું બલિદાન આપતા રહે છે, એ વિચાર નજર સામે રાખીએ તો જરૂર કરતાં વધુ પાણી વગેરે વાપરવાનું કદી મન ન થાય. રાજાએ નૈમિત્તિકને ભવિષ્ય પૂછતાં તેણે કહ્યું : ““આ વર્ષે ભયંકર દુકાળ પડવાનો છે.” રાજા વગેરે, સ્તબ્ધ થઈ ગયા. શેઠિયાઓએ તરત જ અનાજ આદિ સંઘરવાનું શરૂ કર્યું. પણ અષાઢ મહિનો આવતાં જ મેઘ તો મુશળધાર વરસી પડ્યો. દુકાળની વાત ખોટી પડી. જોષીને પૂછતાં તેણે કહ્યું ઃ ગ્રહોના આધારે હજુ પણ હું કહું છું : દુકાળ જ પડવો જોઇએ. પણ વરસાદ કેમ પડ્યો ? તે મનેય સમજાતું નથી. કોઈ જ્ઞાનીને પૂછીએ તો ખબર પડે. કેવળજ્ઞાનીને પૂછતાં તેમણે કહ્યું : જોષી પોતાના બોધ પ્રમાણે ખોટો નથી. પણ જ્યોતિષથી ધર્મનો પ્રભાવ ખૂબ જ ઉચ્ચ છે, જે જ્ઞાની સિવાય કોઈ સમજી શકે નહિ. તમારા નગરમાં શેઠને ત્યાં જે પુણ્યવાન બાળકનો જન્મ થયો છે, તેના પ્રભાવે દેશમાંથી દુકાળ કહ્યું, કલાપૂર્ણસૂરિએ પ૧૯
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy