SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ જેવો મંત્ર... આ બધું પ્રાપ્ત કરીને આપણે નિષ્ક્રિય ક્યાં સુધી રહીશું? નિષ્ક્રિયતા છોડી સક્રિય બનવાનું છે. માત્ર સક્રિય થયે પણ કામ નહિ થાય, સન્ક્રિય બનવાનું છે. સિલ્કિય એટલે શુભ ક્રિયાવાળા] આખરે અક્રિય બની સિદ્ધશિલામાં અનંત સિદ્ધો સાથે મળી જવાનું છે. પૂજ્ય આ. શ્રી હેમચન્દ્રસાગરસૂરિજી : [ચાતુર્માસ : પન્નારૂપા.] આ ગિરિરાજનો પ્રભાવ શું વર્ણવવો ? પાંચ વર્ષ પહેલા અહીં જંબૂદ્વીપમાં અમારું ચાતુર્માસ હતું ત્યારે આવેલા હિન્દુ સંન્યાસીઓને અમે પૂછેલું : ““તમે અહીં શા માટે ? તમે દત્તાત્રેયને માનો છો. તેમનું સ્થાન તો ગિરનાર પર છે.” “ વ...ફુસ ક્ષેત્ર હે પ્રભાવ છ માપો વા વાત રે ? गिरनार पर जो सिद्धि प्राप्त करने में ६ महिने लगते है, यहाँ पर छ दिन में वह प्राप्त हो जाती है ।" આજે પણ આ ગિરિરાજમાં અદશ્ય ગુફાઓ છે. આપણે કોઈ ગુફાઓ શોધવાની જરૂર નથી. આખો ગિરિરાજ જ આપણા માટે પવિત્ર છે. પૂજ્ય મુનિ શ્રી ધુરંધરવિજયજી મ. : ચાતુર્માસ : સર્વત્રી અહીં આવવાનું શું પ્રયોજન ? જે દાદાએ આપણને બોલાવ્યા છે, એ દાદા પ્રયોજન જાણે. દાદા યજમાન છે. આપણે સૌ મહેમાન છીએ. જવાબદારી યજમાનની હોય. મહેમાનને શું ? એક આત્મા પણ જ્યાં સર્વ કર્મનો ક્ષય કરી મોક્ષે જાય. ત્યાંનું ક્ષેત્ર સિદ્ધાત્માએ છોડેલા તૈજસ શરીરના કારણે પરમ પાવન બની જાય તો જ્યાં અનંતકાળથી અનંત-અનંત આત્માઓ સર્વ કર્મોનો ક્ષય કરી સિદ્ધ થયેલા હોય એ ક્ષેત્ર કેટલું પવિત્ર હશે ? કેટલું ચાર્જડ-ફીલ્ડ થયેલું હશે ? તેની તમે કલ્પના તો કરો. આ ગિરિરાજની ઊર્જ એટલી પવિત્ર છે, એટલી પ્રબળ છે કે એને જોવા માત્રથી પણ આપણી ચેતના ઊધ્વકરણ પામે. જ્યાં પ૦૮ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy