SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ યથાપ્રવૃત્તિ કરણ, અપૂર્વકરણ વગેરેમાં રહેલો “કરણ' શબ્દ સમાધિનો વાચક છે. કરણ એટલે સમાધિ...! યથાપ્રવૃત્તિ કરણને અવ્યક્ત સમાધિ કહી છે. ધ્યાન વિના સમાધિ શી રીતે આવશે ? સમાધિ વિના સમ્યગૂ દર્શન શી રીતે આવશે ? રાગ-દ્વેષની તીવ્ર ગાંઠ ભેદાયા વિના સમક્તિ નહિ મળે. Tો ને સારો પ્પા !'' આ બે ગાથા નૈચયિક સમ્યકત્વની પ્રાપ્તિ પર ભાર મૂકે છે. દેહ પરની મમતા ઓછી થયા વિના, એનાથી પર આત્મા છે, એવી બુદ્ધિ વિના સમક્તિ શી રીતે મળશે ? દેહને જરાક કાંઇક થતાં આકુળ-વ્યાકુળ થનારા આપણે આત્મા ગમે તેટલો માંદો હોય, પરવા નથી કરતા. આ સ્થિતિમાં સમક્તિ શી રીતે મળશે ? સમક્તિ એટલે સમ્યગ્ગદર્શન ! શ્રદ્ધાપૂર્વકનું દર્શન ! સમ્ય” એટલે સાચી રીતે. શ્રદ્ધાથી જ જગતનું સાચું દર્શન થઈ શકે છે. * યોગદષ્ટિ-સમુચ્ચય' ગ્રન્થની રચના કરીને હરિભદ્રસૂરિજીએ મહાન ઉપકાર કર્યો છે. નવસારી ચાતુર્માસ [વિ.સં. ૨૦૨૬] માં એક જૈનેતર ભાઈ એક માઈલ દૂરથી રોજ વ્યાખ્યાનમાં આવી જતા. યોગદષ્ટિ સમુચ્ચય પરના વ્યાખ્યાન સાંભળીને એને એમ થતું : અહીં તો પતંજલિ વગેરેની તમામ વાતો આવી ગયેલી છે. જૈનેતરો પણ સ્વીકારી શકે એવો આ ગ્રંથ છે. * આપણે બહિર્દષ્ટિ-બહિર્મુખી છીએ. જરા હૃદયને પૂછો : પાંચ મિનિટ પણ આપણે અન્તર્દષ્ટિ બનીએ છીએ ? “બાહિર દૃષ્ટિ દેખતાં, બાહિર મન ધાવે; અન્તર દૃષ્ટિ દેખતાં, અક્ષય પદ પાવે...” – ઉપા. યશોવિજયજી મ. સૌ પ્રથમ અન્તર્દષ્ટિથી મળતી જાગૃતિ ઘાસના અગ્નિ જેવી હોય છે. થોડીવાર રહીને ચાલી જાય છે. શરૂમાં ક્યારેક ભક્તિ કહ્યું, કલાપૂર્ણસૂરિએ ૪૬૯
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy