SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ કે ધ્યાન વડે તે પ્રભુના ગુણોને સ્પર્શે છે. આવા પદાર્થો આપણી સામે પડ્યા હોય છતાં આપણું ચિત્ત તેમાં લાગતું નથી, બીજે બધે ફેલાયેલું છે, એ આપણી મોટી કરુણતા છે. * “ો ને સાસગો પા” આ શુદ્ધ નિશ્ચય નયનું જ્ઞાન મોહનું મૂળ કાપે છે. આવી ભાવનાથી આપણું આત્મત્વ જાગી ઊઠે છે. બકરીની જેમ બેં બેં કરતો સિંહ હવે ગર્જી ઊઠે છે. એને થાય છે : હું એટલે પરમ, પામર નહિ. હું એટલે સિંહ, બકરી નહિ. એવી ગર્જના સાંભળતાં જ સૌ પ્રથમ ભરવાડ [મોહ] ભાગે. પછી બકરીઓ [બીજી કર્મ-પ્રકૃતિઓ] પણ ભાગે. આત્મા જાગે મોહ ભાગે.... માત્ર એક ગર્જનાની જરૂર છે. ભક્તિમાં લીન ન બનીએ ત્યાં સુધી સિંહત્વ યાદ નહિ આવે. આ બધું કહેવું-બોલવું-લખવું-સાંભળવું સહેલું છે, પણ એને ભાવિત બનાવવું ઘણું જ કઠણ છે. માટે જ હું હંમેશા જ્ઞાનને ભાવિત બનાવવા પર જોર આપું છું. * સાધનાનો પ્રારંભ છ આવશ્યકોથી થાય છે. જીવન જરૂરિયાતની મુખ્ય ચીજે ત્રણ છે : હવા, પાણી અને ખોરાક. આધ્યાત્મિક જીવનની મુખ્ય છ ચીજો છે : | સામાયિક, ચઉવિસત્થો, વાંદણા, પ્રતિક્રમણ, કાઉસ્સગ્ન અને પચ્ચકખાણ. આપણે પ્રતિક્રમણ કર્યું. એટલે માની લીધું ઃ છ આવશ્યક થઈ ગયા. ખરેખર એવું નથી, આપણા ચોવીસેય કલાક છ આવશ્યકમય હોવા જોઈએ. પ્રતિક્રમણ તો માત્ર એનું પ્રતીક છે. - પહેલું આવશ્યક સામાયિક. સામાયિક એટલે સમતા. સર્વ જીવો પર શમત્વ અને બધા પદાર્થો [નિંદા કે સ્તુતિ, કહ્યું, કલાપૂર્ણસૂરિએ કે ૪૫૦
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy